SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Huluuuuum શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બuuuuuuull ૧૨ અતિથિ સંવિભાગ વ્રત પ્ર.૧ અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ શું છે? જ.૧ જેની આવવાની કોઇ તિથિ કે સમય નક્કી ન હોય એવા પંચમહાવ્રતધારી નિગ્રંથ શ્રમણો (સાધુ)ને તેમના કલ્પ અનુસાર (૧) અશન-આહાર (૨) પાણે – પાણી (૩) મેવામિઠાઈ (૪) મુખવાસ (૫) વસ્ત્ર (ડ) પાત્ર (૭) કાંબળી (૮) પાદપ્રીંછન – રજોહરણ (૯) બાજોઠ, પાટલાં આદિ (૧૦) પાટ-પાટિયું (૧૧) શયા (મકાન) (૧૨) સંથારિયું (૧૩) ઔષધ અને (૧૪) ભેષજ. આચૌદ પ્રકારની વસ્તુઓ નિષ્કામ બુદ્ધિપૂર્વક આત્મકલ્યાણની ભાવનાથી આપવી તેમજ તે દાનનો સંયોગ ન મળે તો પણ એવી ભાવના રાખવી એ અતિથિ સંવિભાગ વ્રત છે. પ્ર. ૨. પડિહારી અને અપડિહારી વસ્તુઓ કોને કહે છે? આ વસ્તુઓ કઈ કઈ છે? જ. ૨. જે વસ્તુઓને સાધુ-સાધ્વી લીધાં બાદ પાછી આપતાં નથી તેને “અપડિહારી વસ્તુઓ કહે છે. તેના આઠ ભેદ છે. (૧) આહાર (૨) પાણી (૩) ખાદ્ય ચીજો-મેવા મિઠાઈ (૪) મુખવાસ (૫) વસ્ત્ર (5) પાત્ર (૭) કાંબળી અને (૮) રજોહરણ. જે વસ્તુને સાધુ-સાધ્વી ઉપયોગમાં લઈને થોડા સમય પછી પાછી આપી દે છે તેને ““પડિહારી વસ્તુઓ કહેવાય છે. તેના છ ભેદ છે. (૧) બાજોઠ, પાટલા આદિ (૨) પાટ, પાટિયું આદિ (૩) શય્યા (પૌષધશાળા, મકાન) (૪) સંથારિયું (ઘાસ આદિની પથારી) (૫) ઔષધ અને (૬) ભેષજ. કાકા THEIR HE૨ ૨ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy