SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ ભાવાર્થ : આકાશકુસુમાદિ પદાર્થો જગતમાં સર્વથા નથી, તેના જેવા જ જગતમાં દેખાતા ભાવો છે; કેમ કે જ્યારે શુદ્ધ બ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યારે તે ભાવો દેખાતા નથી. આમ છતાં સ્વપ્નમાં દેખાયેલા પદાર્થો જેવા તે વિતથ છે, તેથી વિતથ= અસત્ એવા આકાશકુસુમ સદશ છતા બ્રહ્મના અજ્ઞાનકાળમાં દેખાય છે. અહીં વિતથ જેવા જણાય છે, એમ કહેવાથી એ કહેવું છે કે, વિતથ એવા આકાશકુસુમાદિ ક્યારેય દેખાતા નથી, જ્યારે જગતુવર્તી ભાવો અજ્ઞાનને કારણે દેખાય છે; પરંતુ વાસ્તવિક રીતે જેમ આકાશકુસુમ નથી તેમ તે ભાવો પણ નથી. તેથી વિતથ જેવા જણાય છે, એમ કહ્યું છે. II39 અવતરણિકા : શ્રુતિના બળથી અને દૃષ્ટાંતના બળથી સંસારવર્તી ભાવોને મિથ્થારૂપે અને બ્રહ્મને સત્યરૂપે સ્થાપન કરતાં કહે છે – ચોપાઇ - जिम तातादिक अछता कह्या, श्रुतिं मुषुयति बुध सद्दया । तिम ज्ञानई अछतु ब्रांड, अहिज्ञानइ नासइ अहिदंड ।।३७।। ગાથાર્થ - જેમ તાતાદિકને પિતા આદિને, અછતા કહ્યા=પહેલાં પિતા હતા તે હવે અપિતારૂપે થયા, એ પ્રમાણે મુશ્કયતિ શ્રુતિમાં કહ્યું છે, તેને બુધપુરુષો માને છે. તેમ જ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડ અછતું થાય અર્થાત્ પહેલાં દેખાતું હતું તે હવે દેખાતું નથી. હવે અનુભવનું દૃષ્ટાંત બતાવે છે – (જેમ) સર્પના જ્ઞાનથી સર્પદંડ નાશ પામે છે. [૩ળા • અહીં “મુપુતિ' શબ્દ છે, તે શ્રુતિનું વિશેષણ લાગે છે, અને તે તાતાદિ=પિતાદિ, ભાવોના હરણને બતાવનારી શ્રુતિ લાગે છે. તે બતાવવા માટે મુપુતિ નામની શ્રુતિ વેદાંત મતમાં પ્રસિદ્ધ હોવી જોઈએ. S૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy