SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાત એનામાં ફળપ્રદાન શકિત નિર્માણ ન થાય ત્યાં સુધીમાં એ સાદા કાર્મણ વર્ગણાની જાતના પરમાણુઓ જ છે. એ પરમાણુઓ ચેતનતંત્રમાં કંઈ પણ ભાગ ભજવી શકતા નથી. ચેતનતંત્રમાં ભાગ ભજવી શકે એવી ક્ષમતા ૫૨માણુઓમાં આવે છે ત્યારે એ કર્મ કહેવાય છે. અને આપણું સમગ્ર સ્થૂળ જીવન, એ સ્થૂળ જીવનની વ્યવસ્થામાં એ નિયામક બને છે. અસરકારક ભાગ ભજવનાર બને છે. એક અર્થમાં સમગ્ર જીવનનો દોર એ કર્મતંત્રના હાથમાં જાય છે. આશ્ચર્ય એ છે કે એ જડ ૫૨માણુઓ છે એમાં જ્ઞાન નથી, ઈચ્છા નથી, લાગણી નથી, હેતુ નથી, ઈરાદો નથી, કોઈ સ્વતંત્ર ઉદ્દેશ નથી અને યોજના કરવાની ક્ષમતા નથી છતાં પણ એ ચેતન તંત્ર ઉપર અસરકારક - અસર કરનાર બની જાય છે. અસરકારક ભાગ ભજવતી વખતે પણ એ પરમાણુઓને ભાન નથી કે અમારે આ ભાગ ભજવવાનો છે. આવા પ્રકારનું ફળ આપવાનું છે. પણ કોઈ પણ જાતની ભૂલ વગર એ બિલકુલ ચોક્કસ યંત્રની માફક કામ કરી શકે છે. એ સમગ્ર શકિત, ફલપ્રદાન શકિત એમાં જે નિર્માણ થાય છે અને એમાં ચોક્કસ પ્રકારની જે રચના થાય છે, એનું મૂળભૂત કારણ છે ચેતનમાં-આત્મામાં થતો અધ્યવસાય. અધ્યવસાય નિયામક છે, સર્જક છે. એક અર્થમાં પરમાણુઓ સંપૂર્ણ સ્વતંત્ર છે. ચેતન સંપૂર્ણ સ્વતંત્ર છે. ચેતનનો અધ્યવસાય પણ સંપૂર્ણ સ્વતંત્ર છે પણ આ તમામ સાપેક્ષ છે એટલે એકમાં ઘટતી ઘટના બિલકુલ સહજ રીતે બીજા માટે અસરકારક બને છે, એ કર્તા નથી પણ માત્ર નિમિત્ત છે. નિમિત્ત પણ કર્તા નથી, છતાં આવો સંબંધ છે. એ રચનામાં જ કર્યતંત્રની વ્યવસ્થા છે. માટે અધ્યવસાય એ જ સર્જક તત્ત્વ છે. કર્મના ૫૨માણુઓમાં જે રચના થાય છે એમાં નિમિત્ત એ અધ્યવસાય બને છે. વિવિધતા વિશ્વમાં જે દેખાય છે, સંસારમાં જે વિવિધતા દેખાય છે એનું કારણ છે કર્મ રચનાની વિવિધતા. કર્મરચનાની વિવિધતાનું કારણ છે અધ્યવસાયની વિચિત્રતા એટલે સાધનાનું કોઈ પણ કેન્દ્ર હોય તો તે અધ્યવસાય હોય, માટે જ સાધકને આ અધ્યવસાયનું રહસ્ય અને એનામાં રહેલી સર્જક શકિતની ગંભીરતા જાણવી જોઈએ. એ અધ્યવસાયની રચના એ જ ચેતનના હાથની, કાબૂની વાત છે. અધ્યવસાય એક મહત્ત્વની ઘટના છે. આપણામાં થતી, દરેક સમયે સમયે બનતી ઘટના છે. અને એ અધ્યવસાય સમયે સમયે ને અસંખ્ય સ્વરૂપમાં થાય છે ને પ્રત્યેક અધ્યવસાય જથ્થાબંધ કાર્મણ વર્ગણાને કર્મના સ્વરૂપમાં ફેરવે છે. એ કર્મ આપણા સ્થૂળ જીવનની રચના કરે છે. અને એમાં સમગ્ર જીવનની વ્યવસ્થા થાય છે. એ પ્રત્યેક ઘટના ૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy