SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વકાકા પ્રશ્નઃ એક તત્ત્વમાં થતું પરિણમન બીજા તત્ત્વ ઉપર અસર કેવી રીતે કરે છે? સંસારમાં પરિણમનની જે કાંઈ પ્રક્રિયાઓ થાય છે તે સાપેક્ષ છે. એક તત્ત્વમાં બનતી ઘટના બીજા તત્ત્વ ઉપર કેવી અજાણપણામાં અસર નિર્માણ કરનારી થાય છે. એ રહસ્યમય વાત છે. એક તત્ત્વ બીજા તત્ત્વમાં કંઈ પણ અસર કરતું નથી છતાં એમાં પરિણમન થાય છે. એમાં જે કાંઈ આવિર્ભાવ થાય છે એ મૂળભૂત રૂપે એનામાં જ છુપાઈને રહેલું છે; પણ એ પ્રાગટ્ય ચોક્કસ કાળમાં, સ્થિતિમાં, હદમાં, પ્રમાણમાં થાય છે, એનું કારણ અન્ય પદાર્થમાં બનતી ઘટના, એ કારણ હોઈ શકે પણ બીજા ઘટકમાં જે બને છે એ પ્રથમ ઘટક કરે છે એમ નહીં, ત્યાં એ ઘટક કર્તા નથી, છતાં થાય છે, કરે નહીં, કરવાનો ઈરાદો નહીં છતાં થાય એ આશ્ચર્ય છે. એ અર્થમાં જગતમાં બનતી કોઈપણ ઘટના સાપેક્ષ છે. અર્થાત્ સમગ્ર વિશ્વના પદાર્થો, ઘટકો સાપેક્ષ છે છતાં સંપૂર્ણ સ્વતંત્ર છે. પ્રશ્ન : કાર્યકારણનો સંબંધ થયો કહેવાય ને? કાર્યકારણ શબ્દ વાપરીએ છીએ, વાપરી શકાય પણ એ તદ્દન ખોટું છે. કાર્યને પેટમાં જ કારણ છે. કાર્ય “અ” માં ને કારણ “બ” માં એમ નહીં છતાં “અ”માં જે કાર્ય થાય એની અસર “બ”માં જે થાય છે, એ હોઈ શકે છતાં સંપૂર્ણ સ્વતંત્ર. મનુષ્ય કર્મબધ્ધ અવસ્થામાં હોય છે ત્યાં સુધી પરિસ્થિતિનો દોર તેના હાથમાં લઈ શકતો નથી. વૈચારિક દષ્ટિએ માનવ ભલે સ્વતંત્ર રહ્યો, એની સામે જે પરિસ્થિતિ આવે છે તે વિષે અનુકૂળ અથવા પ્રતિકૂળ એવા વિચારો તે કરી શકે છે. પણ તે વિચારો કરવાથી તે પરિસ્થિતિ બદલાઈ જાય એવું બની શકતું નથી કારણ કે વિચાર વર્તમાન કાળમાં છે, ઉપસ્થિત પરિસ્થિતિનો સંબંધ ભૂતકાળની કૃતિ સાથે છે. જે વખતે આ કૃતિ અથવા વૃત્તિ પ્રેરિત પ્રવૃત્તિ જીવે કરી હશે, તે વખતે કૃતિ પ્રમાણે કર્મ રચના થઈ હશે. તે કર્મચના વર્તમાન પરિસ્થિતિ નિર્માણ કરે છે. એ નિર્માણ પરિસ્થિતિ વર્તમાન ક્ષણમાં આપણને અનુકૂળ ન પણ હોય, અથવા અનુકૂળ હોય અને ઈચ્છીએ ત્યાં સુધી ન ટકે એવું પણ બને. અને પ્રતિકૂળ હોય અને ન ટકે તો સારું, એવું ઈચ્છવા છતાં એ પરિસ્થિતિનો કાળ લંબાતો હોય. એના વચગાળામાં જીવમાં અનેક વિતર્કો ઊઠે છે. અનેક વિકલ્પો ઊઠે છે. સાથે સાથે વર્તમાનમાં ચિત્તમાં ઊઠતી વૃત્તિઓ તે પરિસ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy