SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા એટલા માટે કહે છે કે એનો સંપૂર્ણ અહંકાર ગળી જાય. એનામાં અહં ન રહે, અહંની કોઈ ક્રિયા ન રહે, અહંની કોઈ ધારા ન રહે, અહંની કોઈ પ્રેરણા ન રહે અને ત્યારે અહંનું પડ તૂટે ને નીચે દબાયેલો, આત્મા ઊઘડે, પ્રગટે, પ્રગટ થાય. તો વીતરાગ કહે છે કે અહં જે કહે છે તે તું નથી, તું જે કહે છે તે આત્મા નથી, પણ તું આત્મા છે. થશે તો તારાથી જ થશે, તું જ પ્રગટ થઈશ. તું જ તને પ્રાપ્ત થઈશ, પણ તારા ઉપર અહં છે, એ અહં ગળી જાય તો, પણ એ અહં નહીં ગળે. કેમ ગળે? તું મટે ત્યારે ગળે. તું કયારે મટે? અહં ગળે ત્યારે ને. અહંની ભૂમિકા ઉપર જે કંઈ થાય છે તે ખરેખર હું નથી ત્યારે એ જ્ઞાનીના ચરણે સમર્પિત થાય અને પ્રેમ પ્રગટે અને ત્યારે હું નથી એ સ્વીકાર થાય, અને આ સ્વીકારમાં જ જે છે તે પ્રગટે. આવો મૂળ ભેદ છે. તદન એકાંત, સંપૂર્ણ મૌન, કઠોર તપ, કડક તિતિક્ષા, નિર્જન સ્થળ, સર્વ સંગનો પરિત્યાગ, પ્રકૃતિ સાથેનું તાદાભ્ય, ભૂતકાળનું વિસ્મરણ, ૨૪ કલાક અખંડ પરમતત્ત્વનું ધ્યાન, એનું જ લક્ષ્ય, એનો જ વિચાર''આ સાધના માટે અનિવાર્ય છે. ખરેખર પરમપ્રભુ તો એકાંતમાં જ મળે. - - - - - - - - -- - --- --- - - - - - - ---- સાધકની પરીક્ષા સંબંધમાં છે. વસ્તુ અને વ્યક્તિના સંબંધમાં આવવા છતાં ન બંધાય તે સાચી કળા છે. - - - - -- -- - દેહ વિકારને આધીન ન બને તે શુદ્ધ, ઇંદ્રિયો વિષયોમાં આસક્ત ન બને તે શુદ્ધ, મન વિકલ્પને આધીન ન બને તે શુદ્ધ. અને બુદ્ધિ અહંકારને આધીન ન બને તે શુદ્ધ. ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy