SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા અર્થોપાર્જન, છેવટે વિષયભોગો પણ એના રંગે રંગાયેલા હોય, આ બધું જ આધ્યાત્મિકતાના પાયા ઉપર રચાય, થાય ડીવાઈડ ટુલાઈફ નહીં, ટોટલ લાઈફ'. ઉપયોગ વિષય વગર રહે જ નહીં. પણ જો ઉપયોગ શેય તરફ એટલે પદાર્થ તરફ, વસ્તુ તરફ ન હોય, ને સૂક્ષ્મ મનમાં પણ ઉપયોગ વસ્તુ તરફ ન હોય તો ઉપયોગે પોતાની અંતરયાત્રા ચાલુ કરી એમ કહેવાય. કેન્દ્ર જડયું નથી અને જે કેન્દ્ર હતું એ છૂટી ગયું, એટલે ઉપયોગ “એકલતા-શૂન્યતા અનુભવે. જો સાધક હોય તો એમ કહેવાય કે અંતર-યાત્રા શરૂ થઈને મૂઢ હોય તો એમ કહેવાય કે મૂછમાં, ઘેનમાં ચાલ્યો. સ્વદોષ દર્શન પણ સાધનાનું એક અંગ છે, પણ બહુ સારું નહીં. ખરેખર તો દોષને ઈરાદાપૂર્વક ન જુઓ, પણ અંદર તમારો ઢાળ, તમારો રસ કઈ તરફ છે એને સૂક્ષ્મતાથી જુઓ. દાખલા તરીકે ક્રોધનો પરિણામ અંદર ઊઠતો હોય તો જુઓ કે ચેતના-ઉપયોગ ક્રોધ તરફ ઢળી રહ્યો છે? ક્રોધને જાણનાર પણ ઉપયોગ છે, ચેતના છે. અને ક્રોધમાં જોડાનાર, ક્રોધ કરનાર પણ ચેતના છે. તો તમારી ચેતના ક્યાં ઢળે છે એને જુઓ અને ત્યાંથી ચેતનાને તોડો. ક્રોધને તોડો એમ નહીં, ચેતનાને તોડો, ચેતના ક્રોધથી તૂટશે તો ક્રોધની ધારા નહીં લંબાય. હર પળે આ નિરીક્ષણ થાય એટલે તમે ચેતનાને જ વધુ ને વધુ જોઈ શકશો. ક્રોધને જોવો તે વિભાવને જોવાનું કામ છે. ચેતનાને જોવી તે સ્વભાવને જોવાનું કામ છે. આમાં આખો દૃષ્ટિકોણ બદલાય છે, એટલે ચેતનાનું ધ્યાન થશે. જ્ઞાનની ધારા તરફ ઢળવું તે ધ્યાન અને ક્રોધની ધારા તરફ ન ઢળવું તે જ ઉપયોગની જાગૃતિ. જીવનમાં બે કામ કરવાના છે. (૧) વ્યકિતગત જીવનમાં ધ્યાન અને શુદ્ધિની સાધના નિરંતર જોઈએ. સાધના શું કરવાની? સાધના એક જ છે. ચૈતન્યનો ઉપયોગ નિરંતર ચૈતન્યમાં રહે, એમાં જ પુરુષાર્થ કરવાનો છે. આપણા હાથની આ એક જ વાત છે. આપણું જોર, આપણું સામર્થ્ય આમાં જ ચાલે કારણ આ આપણા ઘરમાં જવાની વાત છે. આપણા ઘરના રાજા, YO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy