SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા માંસ આત્માએ ખાધું નથી, શરીરે ખાધું છે. શરીર જ ખાય છે. આત્મા ખાતો નથી. પણ બંધન શરીરને નહીં, આત્માને જ થાય છે. કારણ શરીરને માંસ ખાવાનો ભાવ નથી. ખાય છે શરીર તે ખરું, પણ ભાવ ઊઠે છે આત્મામાં. એ ખાતો નથી જરૂર, પણ આત્મામાં જે ભાવ ઊઠે છે એ ભાવ, એ વિચાર, ખાવાનો ભાવ, તે જ વિકાર અને એ વિકાર આત્માની ક્રિયા છે માટે બંધ આત્માને થાય છે. છતાં વિકારનો કર્તા આત્મા નથી. કારણ કે વિકાર આત્માનો સ્વભાવ નથી. આત્મા અવિકારી છે. પણ વિકાર દેખાય છે ને? દેખાય છે એ વિકાર છે, એ જ આત્માની વિભાવ દશા છે, એ દશા આત્માની છે પણ ગુલાંટ મારે તો વિકાર ખરી જાય. માટે વિકારનો પણ કર્તા નથી પણ અકર્તા છે. વિકારો સામે જીવે કેમ વર્તવું? વિકારોને એમની પૂરી તાકાતથી પ્રગટ થવા દો. પૂરબહારમાં ખીલે એટલે એ અસર પેદા કરતાં એમનું કામ પૂરું થયું, તમે શાંતિથી જોયા કર્યું, એટલે ભળ્યા નહીં. તમે એ વિકારોને સાકાર થવા ન દીધા, એકશન ન લીધું એટલે પુનરાવૃત્તિ ન થઈ, તો શું થયું? નિર્જરા થઈ. આ કઠિન છે એમ નહીં પરંતુ અઘરામાં અઘરું છે, તમે કઈ રીતે જુઓ છો એના ઉપર આધાર છે, તમે કડકાઈથી જુઓ તો છુપાઈ જાય, પ્રેમથી જુઓ તો સ્પષ્ટ દેખાય અને મોહથી જુઓ તો ભળી જવાય. આપણે વિકારોને થોડા થોડા દબાવીએ છીએ એટલે એનું જીવન લંબાય છે. અજ્ઞાની વિકારોમાં ભળીને પુનરાવૃત્તિ કરે છે એટલે વિકારો મજબૂત બને છે. આપણો ધર્મ, સાધના, તપ આદિ વિકારોને પ્રગટ થવા દેતા નથી કે મૂળમાંથી દૂર થવા દેતા નથી. એટલે વિકારો થોડા થોડા બાકી જ રહે છે. અનંત જન્મો આમ થાય છે. વિકારની ધારા શરમાળ છે એટલે કડકાઈમાં સામે આવતી નથી. તમે પૂરા શાંત બનો અને વિકારની ધારા શરમાળ ન રહે તો નિરાકરણ થાય. તો શું થાય? ઉત્પાદક કર્મ પૂરું કામ કરી લે એટલે એ ખરી જાય. તમે ભળો નહીં એટલે નવીન કમરચના ન થાય. માટે જ વિકારને શાંત કરવો એમ નહીં પણ તમારે પૂરા શાંત બનવું એટલે વિકારની ધારા જેવી પ્રગટ થાય કે તરત જ મનને ચારે તરફથી ખેંચી લઈ પૂરા ધ્યાનથી, સમગ્રતાથી વિકારની ભાવાત્મક ધારાને જોવી, કંઈ ન કરવું. જપ કે ધ્યાન પણ નહીં. એટલા શાંત બનવું કે તમારી હાજરી વિકારની ભાવાત્મક ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy