SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સાયકા ૨૧ શુભ પ્રવૃતિ પણ જયારે કરવાની થાય ત્યારે એક વાતનું લક્ષ્ય રાખવું કે ખરેખર તો કોઈ પણ પ્રવૃત્તિ કરવાની છે જ નહીં. “કરવું” આ શબ્દ જ આત્મા સાથે સંબંધ ધરાવતો નથી. થાય છે, થવું, એ શબ્દ સાચો છે પણ ભાવ જરૂર પ્રગટે અને એ ભાવ પ્રમાણે ક્રિયા થાય જ, કર્મ થાય જ, થશે જ એવો નિયમ નથી પણ ભાવ પરિણામ લાવનાર છે. જિનમંદિર એ શુભ ભાવ છે. એ ભાવ ઠીક છે. અશુભ ભાવને રોકનાર છે. પણ શુભ ભાવ જે અંદર ઊઠે છે, એ ભાવ સાકાર બને જ એવી પૂરી શ્રધ્ધા હોવા છતાં અને સ્થૂળ ભૂમિકા ઉપર સંપૂર્ણ શકિતનો પ્રયોગ કરવા છતાં અંદર પરમ શાંતિ રહેવી જ જોઈએ. થાય, થાય જ, એ જ બરાબર છે પણ ચિત્તને એમાં તાણ અનુભવવી ન પડે. છેવટે તો સ્વરૂપમાં ઠરવાનું છે. સ્વરૂપમાં વિશ્રાંતિ કરવાની છે, માટે જિનમંદિર અર્થે પણ ચિત્તને ખેંચતાણમાં ન મૂકશો. ભાવ શુભ છે. પ્રયત્ન બરાબર છે. પણ ચિત્તમાં ક્ષોભ થાય તે બરાબર નથી. કારણ અશુભમાં તો ઊભા રહેવું જ નથી પણ છેવટે શુભમાં પણ ઠરવું નથી. ઠરવું છે શુદ્ધમાં, રમવું છે શુદ્ધમાં, એટલે ચેતનાનો સમગ્ર પ્રવાહ શુદ્ધ તરફ જ વહે. પણ જયારે ચેતનાનો પ્રવાહ અશુભ તરફ વળે, અશુભ પ્રવૃતિમાં શકિત વપરાય ત્યારે ત્યાં વળાંક આપવા માટે, અશુભને રોકવા માટે શુભનો મજબૂત આધાર લેવાનો છે. પણ શુદ્ધમાં જવાની પળ જો આવી જતી હોય તો તત્ક્ષણ એ મજબૂત આધાર છોડી શુદ્ધમાં જવાનું છે. આમાં આળસની વાત નથી. નિરાશાનો સૂર નથી, પ્રમાદનો સંકેત નથી. અથવા શુભમાં શિત ન વાપરવી એમ પણ નથી, પણ આ સમજ સાથે શુભમાં રહેવાનું છે. સાધના જેને કરવી છે એને પ્રારંભમાં નિયમિતતા તો અનિવાર્યપણે જોઈશે જ. પ્રારંભ કાળમાં સાધના માટે નિશ્ચિત કાળ પણ જોઈશે જ. અને હઠપૂર્વક પણ એ સાધના થવી જ જોઈએ. કારણ પ્રમાદનું બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે. મોહની બહુ રહસ્યમયતા છે. એટલે બાહ્ય પ્રવૃતિ, પરપ્રવૃત્તિ તો થવા દેશે જ, પણ સાધનામાં જ બાધા આવશે, એ ના ચાલે. અને સાધકને એક એક ક્ષણનો ઉપયોગ કરવાનો છે, એ ન ભૂલાય. સાધક માટે પહેલાં સાધના પછી સંસાર, આ દૃઢતા જોઈશે. મોડું સુવાય ને મોડું ઊઠાય, સાધના રહી જાય એ કેમ ચાલે ? પશ્ચાત્તાપ પણ છટકબારી બની જશે. સાધકમાં અત્યંત જાગૃતિ જોઈએ. ३० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy