SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના તમારા ડહોળાઈ ગયેલા ચિત્તને કારણે જણાતું નથી. વ્યવહારની ભૂમિકા ઉપર રહીને તત્ત્વની સાધના કેવી રીતે કરવી? આ તમારો પ્રશ્ન છે. તત્ત્વની સાધના અને વ્યવહાર વચ્ચે ભેદ પાડવાની જરૂર નથી. જીવન સમગ્ર છે અને અખંડ છે. સાધના એ ભાવનું ક્ષેત્ર છે અને વ્યવહાર એ ક્રિયાનું ક્ષેત્ર છે. સાધના માટે નીચેની બાબતો જરૂરી ગણાય - ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, નિયમિતતા, દઢ સંકલ્પ, નિરંતર અભ્યાસ, સદ્ગુરુની પરમ કૃપા. સતત ભાવની ભૂમિકા ઉપર રહીને તમે ક્રિયાના ક્ષેત્રમાં જઈ શકશો. ક્રિયા મોટે ભાગે પુનરાવૃત્તિક હોય છે. પુનરાવૃત્તિમાં ઉપયોગને બહુ જોડવાની જરૂર રહેતી નથી. વ્યવહારમાં જયારે અન્યનો સંબંધ પ્રાપ્ત કરવાનો થાય છે ત્યારે વિવેકની જરૂર રહે છે. વિવેકબુદ્ધિ દ્વારા ત્વરિત સમ્યક્રનિર્ણય કરી શકાય તો સંબંધમાં બૌદ્ધિક પ્રયત્નની જરૂર રહેતી નથી. મોટા ભાગે સંસારી જીવો સાથેના સંબંધો રહેવાના અને સંસારી જીવોનું ધોરણ લગભગ એક સરખું રહેવાનું. એટલે એક સંસારી જીવ સાથે સંબંધ ગોઠવતાં આવડે તો બીજાની સાથે સુગમતા અવશ્ય થાય. (૨૦) માનવ પોતાના ભાવિ માટે સતત ચિંતા સેવે છે. અને ભાવિ પોતાની કલ્પનાથી રચે છે. કલ્પના પ્રમાણે રચના થવી જ જોઈએ એવું માનવા છતાં, એ પ્રમાણે થાય જ એવો નિયમ નથી, પણ ન થાય તો મનમાં વિષાદ ને વ્યાકુળતા થાય છે. અને મનને વ્યગ્ર બનાવે છે. પરિણામે સમગ્ર ચિંતનમાં આર્તધ્યાન વ્યાપે છે. આ જ અશાંતિનું મૂળ છે. માનવ કલ્પના કર્યા વગર રહી શકતો નથી અને કલ્પના સાકાર થઈ શકતી નથી. એના કારણે મન તંગ રહે છે. શાંતિ વેદાતી નથી. - સાધના જેને કરવી છે એને કલ્પનાની રચના છોડવી પડશે. ને જે આવે છે એને સ્વીકારવું પડશે. તો જ ધર્મની ધારા પ્રગટશે. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy