SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા જેને જીવનમાં સાધના કરવી છે એને નિમિત્ત તરફ, સંજોગો તરફ, પરિસ્થિતિ તરફ નહીં પણ આધાર તરફ જોવું પડશે. આધાર તરફ જોયા વગર સાધનાની શરૂઆત નહીંથાય. માટે સમગ્ર સાધના અસ્તિત્વમાં છે. એ અસ્તિત્વને નહીં જાણો તો સાધનામાં સત્ત્વ નહીં પ્રગટે. ચેતન એ જ અસ્તિત્વ છે. સાધના એની કરવાની છે. શરીર અનુકૂળ થશે, ટેવાશે ત્યારે સાધના થઈ શકશે, આ વાતમાં ઝોક અસ્તિત્વ તરફ નથી, પર તરફ છે. અંદર નિર્ણય હોવો જોઈએ. સાધના કરવી છે, શરીર અનુકૂળ હોય તો ભલે, અનુકૂળ ન હોય તો તેની રાહ જોવી નથી. મારે મારામાં શરૂઆત કરવી છે. એ અનુકૂળ થઈ જશે અને નહીં થાય તો પણ સાધના કરવી છે. આ વિચાર બળવાન થવો જોઈએ. શરીર વૃત્તિઓ પોષવાના કામમાં ટેવાયેલું છે, એ માટે ટેવાયેલું છે અને ચોવીસ કલાક એ માટે તૈયાર છે. વૃત્તિથી પર જવા, વૃત્તિ રહિત થવા એ નથી ટેવાયેલું, એટલે ત્યાં અવરોધ લાગશે. એમાં મન ભળે એટલે શરીરને ટેકો મળે. માટે શરૂઆત તમારે અસ્તિત્વથી, અસ્તિથી, આધારથી કરવી પડશે. વૃત્તિને જોવી અથવા આધારમાં, અસ્તિત્વમાં જે ભળ્યું છે તેને જોવું અને એ જોતાં જોતાં અસ્તિત્વની અંદર જે ભળ્યું છે, તે બન્નેને જુદા પાડતા જવું. એ ભેદ ચોખ્ખો દેખાવો જોઈએ, એટલે બન્ને પડખાનું પૂરું બૌદ્ધિક ભાન હોવું જોઈએ. અસ્તિત્વ અને અસ્તિત્વમાં જે ભળેલું છે તે, અને એ બન્ને, વિચારની ભૂમિકા ઉપર સ્પષ્ટ પણે જુદા દેખાવા જોઈએ, એ સતત જોવું ત્યારે અસ્તિત્વ અને વળગણ એ બન્ને જુદા દેખાશે. વળગણ છૂટતું જશે, તેમ તેમ અસ્તિત્વ તરફ જવાશે, અને જેમ જેમ અસ્તિત્વ તરફ જવાશે તેમ તેમ વળગણ છૂટશે. ખરો ઉપાય તો અસ્તિત્વ તરફ ઝૂકવામાં છે. માટે વૃત્તિને જોતાં જોતાં વૃત્તિ જેના આધારે ટકે છે તે આધારને જોવો પડશે. આ બહુ ગંભીર પ્રક્રિયા વચમાં કંઈ પણ આવવું ન જોઈએ. તો જ જાગૃતિ આવશે. જાગૃતિ માટેનો પ્રચંડ પુરુષાર્થ જોઈએ. વૃત્તિને પણ એના અસલી સ્વરૂપમાં જોવી. એના ઉપર આપણે આવરણ ચઢાવીએ છીએ. વૃત્તિ અને વૃત્તિ ઉપર આવરણ-પહેરાવેલાં કપડાં આપણે જોવા બેસીએ છીએ ત્યારે વસ્ત્રો દેખાય છે, વૃત્તિ નહીં. માટે વૃત્તિને એના મૂળ સ્વરૂપમાં, નગ્ન સ્વરૂપમાં જોવી પડશે. એટલે વૃત્તિ શમશે, છૂટશે પણ ખરેખર તો આધારને જોવો જ પડશે. એટલે ખરી સાધના અસ્તિત્વને જોવામાં છે. આધારને જોવામાં છે, અસ્તિમાં ડોકિયું કરવામાં છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy