SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન | વિચારોના વમળમાં અટવાયા કરવાથી અંદર અશાંતિ ઊભી થાય છે. સાધક વમળને જુએ ખરો પણ વમળથી જુદો ઊભો રહીને જુએ, અંદર ભળે નહિ, ખોવાય નહિ, અટવાય નહિ. વમળમાં અટવાય છે માટે સાધના થઈ શકતી નથી. વમળો કેમ ઉઠે છે? બહારના પદાર્થો, બહારના સંયોગો, બહારની પરિસ્થિતિ પોતાના મનને ગમે એવી ઊભી થાય તો સારું, એ માટે જીવની મથામણ છે. પણ એ જીવના ભાવને આધીન નથી. કારણ વિશ્વ રચના સ્વતંત્ર છે, સ્વાધીન છે અને નિયત ક્રમમાં છે. એમાં આપણા મનમાં ઊઠતો ક્ષણિક વિકલ્પ નિર્ણાયક નથી, નિયતમાં નિર્ણય કામમાં નથી આવતો પણ નિયતના નિર્ણયનો સ્વીકાર થાય તો જ એ કામનો, તો વમળો નહિ ઊઠે અને તો જ ધ્યાન માટે અવકાશ મળશે. ક્રોધ કેમ આવે છે? (૧) અહંકારના કારણે, (૨) હું માલિક છું અને મારા કહ્યા પ્રમાણે થવું જોઈએ એના કારણે, (૩) અતિ ઉતાવળના કારણે, (૪) ધંધામાં કોઈ વખત ફાવટ ન આવી હોય ને અકળામણ થઈ હોય એના કારણે, (૫) તમે સામી વ્યક્તિને શાંતિથી સમજાવી ન શકો તે કારણે, (૯) અને ખરું કારણ તમારામાં પ્રેમ પ્રગટ નથી થયો એ કારણે. આ વિચારો ને આ કારણો દૂર કરો તો ક્રોધ ન થાય. ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy