SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન તા.૨૭-૪-૯૪ શાસ્ત્રોએ વારંવાર કહ્યું છે કે મૃત્યુ નિશ્ચિત છે અને ટાળી શકાતું નથી. અવતારી પુરુષો, તીર્થકરો અને જ્ઞાની પુરુષો પણ મૃત્યુને ટાળી શકયા નથી. આપણા દ્વારા થતા બધા જ ઉપાયો આયુષ્યની બળવાન દોરી હોય ત્યારે નિમિત્ત તરીકે ભાગ ભજવે છે પણ જ્યારે આયુષ્યની પૂર્ણતા થાય છે ત્યારે તે નિમિત્તો પણ સહાયક બની શકતા નથી. ત્યાં માનવીની નિરુપાયતા છે અને જયાં નિરૂપાયતા છે ત્યાં ખેદ કર્તવ્ય નથી. જીવનમાં બનતા બનાવોનો માનસિક વિરોધ કર્યા વગર સ્વીકાર કરવો અનિવાર્ય છે. વ્યક્તિના વિયોગમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. ધીરજનું બળ એ મોટામાં મોટું બળ છે અને આવી પડેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો તે માનવીની સમજદારીનું લક્ષણ છે. ઘરમાં જે વડિલ હોય એમણે કુટુંબ પ્રત્યેની જવાબદારી અદા કરવી જ રહી. જયાં તીવ્ર ઉત્કંઠા છે, તમન્ના છે, તલસાટ છે ત્યાં પ્રકૃતિએ માર્ગ કરી જ આપવો પડે છે. કર્મ બળવાન નથી, કરનાર બળવાન છે, કર્મનો જે કર્તા છે એ તો અનંત શક્તિનો ધણી છે. એને કોઈ કર્મ રોકી શકે નહિ. પોતે જાગે ને પોતાની તરફ જુએ તો પોતાનો મહિમા સમજાય. હજુ પોતાનો મહિમા સમજાયો નથી માટે કર્મ રોકે છે, વિકાર રોકે છે, વાસના રોકે છે એવા રાગડા તાણે છે. એક વખત પોતે પોતાને સમજે તો ભાન થાય. અહોઅંદરનું ચેતનતત્ત્વ તો અનંત શક્તિનો પિંડ છે. એને કોણ રોકે ? પોતે પોતાનાથી પોતાના કારણે રોકાય છે. જીવનમાં નિરાશા શું કરવા? જાગો ને અંદર જુઓ. ૧૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy