SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન - - - ઈ.સ. ૧૯૬૦, વિ.સં. ૨૦૧૬ સપુરુષની ઈચ્છાએ જીવવું એટલે સત્પષની જેના માટે ઈચ્છા છે એના માટે જ જીવવું, સસ્વરૂપ પરમાત્મામાં વ્યક્તિત્વને વિલીન કરવા સિવાય અન્ય કોઈ જ ઈચ્છા નથી. એની સમગ્ર ઈચ્છાઓએ એક જ સ્વરૂપ ધારણ કર્યું છે, એનું વૈવિધ્ય ટળી ગયું છે. એની ઈચ્છાએ જીવવું એટલે સતથી અન્ય ભિન્ન માટેની સમગ્ર ઈચ્છાઓનો ત્યાગ કરવો, અને જીવન સાધનાનું આ જ પ્રથમ પગથિયું છે. ઈચ્છા જયની આ દિવ્ય સાધના છે? મન, બુધ્ધિ, પ્રાણ અને દેહમાં જે ઈચ્છાઓ જન્મે છે એને સાધક સ્થાન આપતો નથી, કારણ એમાં સત્પુરુષની ઈચ્છા નથી. જ્યારે શિષ્ય સપુરુષની ઈચ્છાએ જીવે છે ત્યારે એની વિવિધ ઈચ્છાઓનો અંત આવી જાય છે. આમાં ઈચ્છા નિરોધની વાત નથી. સત્પુરુષ પ્રત્યેના અનન્ય પ્રેમની ગૂઢ વાત છે. જ્યારે પુરુષની પ્રત્યે એવો અનન્ય પ્રેમ થાય છે ત્યારે એ દિવ્ય પ્રેમમાં અન્ય ઈચ્છાઓ જન્મી શકતી નથી. ઈચ્છાજય માટે વિવિધ પ્રયત્નો થશે પણ જય નહિ થાય. સત્પુરુષ પ્રત્યે અનન્ય પ્રેમ જાગે છે ત્યારે સહજ અન્ય ઈચ્છાઓ શમી જાય છે. સત્પુરુષની ઈચ્છાએ જીવવામાં ઈચ્છાજયની દિવ્ય સાધના છે. એના પરિણામે શિષ્યમાં તપઃ શક્તિ પ્રગટે છે. અનાસક્તિ ને દિવ્ય વિરાગ પ્રગટે છે. સમગ્ર જીવનમાં પ્રેમનો અખંડ સ્ત્રોત વહેતો થાય છે. પ્રાણી માત્ર, અનંત સચરાચર સૃષ્ટિ એના પ્રેમ સાગરમાં સ્નાન કરે છે. પ્રેમથી ભિન્ન ભગવત નથી. આ સ્થિતિમાં એનો સમગ્ર વ્યવહાર યોગ બને છે. પ્રેમ સ્વયંભૂ છે, દિવ્ય, સનાતન છે, સત્પુરુષની ઈચ્છાએ જીવન જીવવું એમાં દિવ્ય રહસ્ય છે.અનન્ય પ્રેમ માત્ર એક એનું સાધન છે. મન, પ્રાણ, બુધ્ધિમાં અને દેહમાં ઊઠતી ઈચ્છાઓ એ જ પ્રેમ પ્રાપ્તિમાં વિધ્ધ કરે છે. એ સમગ્ર ઈચ્છાઓને આવેશોને પ્રબળ પુરુષાર્થથી દૂર કરવા એ જ તપ છે. અનન્ય પ્રેમ જ એમને દૂર કરે છે. માટે આ પ્રેમની તપસ્યા છે. પ્રેમનો અગ્નિ ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy