SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન જાગરણ થાય છે. એના દ્વારા પરમાત્મા સાથે સંમિલન થાય છે. માટે મંત્રની શક્તિ અદ્ભુત છે. સતત જપ કરવાથી અંતરમાં આઘાત થાય છે. એનાથી માયાના પડળ ભેદાય છે, એથી દિવ્ય સંસ્કારનો ઉદય થાય છે ત્યારે સત્સંગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એમાં દ્રષ્ટાનું સંગીત સાંભળવા મળે છે ત્યારે ચિંતનનો શુદ્ધ અગ્નિ પ્રગટ થાય છે. એ અગ્નિથી વિચારની અશુધ્ધિ બળી જાય છે. વિચાર શુધ્ધિ થાય છે. એ થતાં જ વૃત્તિ સૃષ્ટિથી વિમુખ બની, દ્રષ્ટાના સન્મુખ થાય છે. દૃષ્ટિ-વૃત્તિ દ્રષ્ટાનાં સન્મુખ થતાં જ દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એ જ દિવ્ય શાંતિ છે. એથી જ પ્રસન્નતા અનુભવાય છે. એ પ્રસાદ છે, પ્રાપ્તિનો આનંદ છે. એ પ્રસન્નતા જીવનમાં સ્ફૂર્તિ લાવે છે. સ્ફૂર્તિ સ્ફૂર્તિ સ્ફૂર્તિ. સૃષ્ટિની માયા દૂર થતાં જ દ્રષ્ટાના દર્શન થતાં જે ખુમારી અનુભવાય છે તે સ્ફૂર્તિ, ઉત્સાહ, નિર્ભયતા. ત્યારે લોકલાજનાં ધૂંધટ ખૂલે છે ત્યારે પરબ્રહ્મનાં દર્શન થાય છે, એ દિવસ આપણી દિવાળી, ત્યારથી નૂતન વર્ષનો પ્રારંભ, તે માટે આજથી કરીએ સંકલ્પ, “અમે અમારા જીવનમાં આધ્યાત્મિકતાની સાધના કરશું.” એનાં સાધન છે અનાસક્તિ, સમતા, સ્વભાવ રમણતા, આ મેળવી સમાજમાં પ્રવેશ કરીશું. સ્વાર્થનું ઝેર દૂર કરી સેવાનું અમૃત વરસાવશું, સંઘર્ષને હઠાવી પ્રાણી માત્ર સાથે સહકાર સાધશે. કુટુંબ સાથે સહિષ્ણુતા ને સૌજન્યતા કેળવશું. વ્યવહાર નીતિમત્તાની શરતે કરીશું, ને ધાર્મિક જીવનમાં શીલ, સંયમની ઉપાસના કરશું. બનીશું પ્રકૃતિ માનવ. પરમાત્મા ! આકૃતિ માનવ તેં બનાવ્યા પણ પ્રકૃતિ દાનવની છે, સાધના કરીને પ્રકૃતિએ માનવ થશું ત્યારે ભજન થઈ શકશે તારાં. બનશે ભક્ત ભગવાન તારા, ને જીવનભર ગાશું ગીત તારા, રહીશું સંસારથી ન્યારા, આજના મંગલ પ્રભાતે તારા ચરણે આ જ માંગણી છે. મારા જીવનના પ્યારા! તું સ્વીકારજે, ‘હે દીનોના ઉધ્ધારનારા.’ Jain Education International For Private & Personal Use Only ૧૪૧ www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy