SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાના કહેવામાં આવે છે અને આ સમ્યગૂ દર્શન જ આ અનાદિકાલીન અહંકારનો વિલય કરે છે. એ પછીની અવસ્થાને મોક્ષ કહીશું. ભલે નિર્વાચન નામકરણ તો કરવું જ પડશે ને અનુભૂતિને વ્યક્ત કરવા આ વિરાટ વિશ્વમાં શબ્દ સિવાય બીજું કંઈ જ આલંબન નથી અને આ શબ્દો એ જ છેવટે શાસ્ત્રો બન્યા ને? અને પછી તો બુધ્ધિને ધારદાર બનાવી આ સાક્ષરો યુધ્ધના મેદાનમાં ઊતર્યા છે. સંપ્રદાયો અને વાડાઓ ઊભા થઈ રહ્યા છે. પરમ સત્ય કોઈ બંધન સ્વીકારવા તૈયાર નથી. માટે જ એ તમામ દિવાલોને ભેદીને પ્રગટ થાય છે, જે શાસ્ત્રોમાં નથી જડતું. જગતના ખૂણે ખાંચરે વિચરતા સત્પુરુષો દૂરથી આ દશ્ય જુએ છે, ક્યારેક અશ્રુ સારે છે. પણ ઘણી વખત તો એ દ્રષ્ટા બનીને જ જુએ છે. કોઈક કોઈક વિરલની દૃષ્ટિ એના પર પડે છે ત્યારે જ એ એની ગોદમાં સમાય છે, ત્યારે જ સત્પુરુષ ધીમે સ્વરે કાનમાં કહેતો હોય છે, “પ્યારા બાળ! સત્ય આમાં નથી. એ તું છો, પરમ સત્યે તું છો ને તારામાંથી જ એ તને જડશે. જા ત્યારે, સ્વ જ્ઞાનના ને નિઃસાધનતાના દિવ્ય સાધન દ્વારા તું તારામાં ગતિ કર”. બસ આ શબ્દો જાણે સર્વ શાસ્ત્રોનો સાર છે. સર્વધર્મોનો નિચોડ છે. સમગ્ર તત્ત્વજ્ઞાનનો અર્ક છે અને એ જ પોતાનો અણમોલ વૈભવ છે. તે શાસ્ત્રોમાંથી, અનુષ્ઠાનોમાંથી નહિ જ જડે. અંતરમાં ડોકિયું કરવું જ પડશે ને! જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોલકે કાનમેં, તાલી લાગી જબ અનુભવ કી તબ જાને કોઉ સાનમેં. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (ઉપા, યશોવિજયજી મ.) બસ આ જ સંગીત જીવનમાં ગુંજતું બને તે જ સાધના. એણે કશું જ માગ્યું નથી, માંગવું એને ગમતું નથી ને માત્ર આપવું ને આપવું એ જ એનો સ્વભાવ છે, એણે કેટલું બધું આપ્યું? કરુણા-હિમાલય પરથી ખલખલ કરતા વહેતા વિશાળ ઝરણાઓની માફક જેના હૃદયમાં કરુણાના ધોધ વહી રહ્યા હતા. સમ્યમ્ દર્શનરૂપ દિવ્ય રસાયણનો સ્પર્શ થતાં એ કરુણા ભાવકરુણા બની. કરુણાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. સ્થૂલ સૃષ્ટિ દૃષ્ટિમાંથી અલોપ થઈ ને અંતર સૃષ્ટિમાં એ કરુણામૂર્તિએ દષ્ટિપાત કર્યો. પરમ આનંદનું જન્મ સ્થાન શુધ્ધ જીવાસ્તિકાય વિભ્રમ પામી, શોકને જન્મ આપી રહી છે. એ વેદના એના માટે અસહ્ય બની. આ કોઈ એકની ૧૩૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy