SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાના કરુણાનો વિકાસ તો જોઈએ ને? એક પળ એવી પણ આવશે કે શાક સમારતા હશો ને આંખો આંસુથી છલકાતી હશે. સકલ જીવરાશી પ્રત્યેની ગાઢ આત્મીયતામાંથી કરુણા જન્મે છે. કરુણાભાવ ભય, ભેદ, ખેદ, અહ, ઈર્ષા, ઉપેક્ષા આ તત્ત્વોને ઘસારાબંધ વેગથી નાબૂદ કરે છે. જરાક અસાધારણ લાગતા અહંનું... સ્થિરતા ચાલી ગઈ . આ સ્થિતિ માટે તો આ અહંની પ્રતિક્રિયા છે ને અધ્યાત્મિક થાક છે. પ્રમાદનો છૂપો પ્રવેશ છે એ માટે જાગ્રત બનવાનું. વિશુદ્ધિ દેખાય છે તેનું કારણ આસક્તિનું બંડલ નાનું છે. બેન! નિરાશ થવાની જરાપણ જરૂર નથી. જો સર્વતોભાવથી એના અને માત્ર એના જ બન્યા છીએ તો પછી ચિંતા શા માટે? “ગઈ દીનતા સબહિ હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, નાવત કોઉ માનમેં.” હવે શું કરવાનું દ્રવ્ય-ગુણ-પર્યાયનું પરમતત્ત્વ એને સમજવા પ્રબળ પ્રયત્ન કરવાનો. એ અંગ હવે ખીલવું જોઈએ. ધ્યાનથી શુદ્ધિ થાય છે, એથી જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનથી ધ્યાન વધે છે. જ્ઞાનને ધ્યાનના પાટા ઉપર સાધક દોડતો હોય છે. આસન સિદ્ધિ ત્રણ કલાકની થવી જ જોઈએ અને તે જરૂર થશે. દ્રવ્યગુણ પર્યાયનું સૂક્ષ્મ અન્વેષણ થવું જોઈએ. એ માટે સા. વિનયશ્રીજી તથા સા. પ્રિયદર્શનાશ્રી પાસે તે મેળવવું. ચેતના, ગટુ, તમે તો ભાવિયોગિનીઓ, પ્રભુ એ જ જીવનના વિશ્વાસ બની જવા જોઈએ. જીવનનું પુષ્પ માનવના નહિ, ઈશ્વરના ચરણે ધરવાનું છે. અનંતકાળથી ભોગની આગમાં સળગ્યા, હવે તો યોગનું અમૃત પીવાનું છે. મુકેશ! નમ્રતા, મધુર ભાષા, સૌમ્ય વ્યવહાર, સહિષ્ણુતા ને શાંત મિજાજ આ આપણા અલંકાર છે. સભ્યતામાંથી જ સંસ્કાર સૌરભ પ્રગટે છે. ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy