SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન - - - - સતત સ્મરણ અંદરમાં અધ્યાત્મિક આંદોલન પ્રગટ કરે છે ત્યારે શુદ્ધિનું કાર્ય ચાલુ થાય છે. આંતરસૃષ્ટિનું નિયંત્રણ આ અધ્યાત્મિક આંદોલન જ્ઞાનધારા પ્રગટાવી સતત શુદ્ધિ દ્વારા કરે છે ને બાહ્ય સૃષ્ટિનું નિયંત્રણ કર્મધારા કરે છે. સતત વહેતી જતી કર્મધારામાં ચેતનદેવ અષ્ટા ન બનતાં દ્રષ્ટા બને છે. ડખલગીરી કરનાર ન બનતાં સમતુલા જાળવનાર બને છે. આ ગંભીર તત્ત્વ સમજવા પૂરતો પ્રયત્ન કરશો. હવે થોડીક વ્યવહારની ભૂમિકા ઉપરની વાત કરું છું. તમને બંનેને જે કાર્યક્રમ આપ્યો છે તેનો અમલ સતત નિયમબદ્ધપણે બરાબર કરજો. નિયમિતતા અને સતતતા મહત્ત્વનાં અંગો છે. જીવનના બંને અંગોનો સમન્વય થવો જોઈએ. ભૌતિક અંગના વિકાસ માટે જો અનેક જન્મો અર્પણ કર્યા છે તો અધ્યાત્મિક અંગના વિકાસ માટે એક જિંદગી આપવી જ રહી. એ સનાતન સત્ય છે કે “અધ્યાત્મિક શક્તિનું જ્યારે અવતરણ થાય છે ત્યારે એને ઝીલવા શરીર અસમર્થ હોય છે, એ સ્થિતિમાં શરીરમાં કૃશતા આવે છે, પણ એ કૃશતા ઝડપથી દૂર થાય છે ને અંદર વેગવાન ચેતના પ્રગટ થાય છે જે સ્કૂર્તિ, પ્રસન્નતા, તરવરાટ આપે છે.” તમે હવે સાધક તરીકે જીવશો એમાં જીવનનો ઉચ્ચતમ આનંદ મળશે. પ્રેમની શક્તિને ક્ષણ કરનારી વાસના જેમ જેમ શમે છે તેમ તેમ પ્રેમશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. જે ઉચ્ચભૂમિકા પરનો સાત્ત્વિક આનંદ આપે છે. વિષયાનંદ કરતા બ્રહ્માનંદ સર્વશ્રેષ્ઠ છે. જો જો આ નાનકડો પણ ગંભીર વિચાર સહજ રીતે સમજશો. મૂંઝવણ ન અનુભવશો. તમે સંન્યાસી નથી, વૃદ્ધ ને લાગણી વિહીન નથી. આ સમજીને લખું છું. જે વિચાર તમને આપ્યો છે એને ન ભૂલશો. વિચાર આપનાર તો ભલે ભૂલાય, વિચારને ન ભૂલશો. ૧ ૧ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy