SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન મુખ્ય ધારા બને છે ને એ ધારાનો આધાર જ કર્મધારામાં જતાં એને રોકે છે. કર્મધારા ને બળવાન કર્મધારાથી જ્ઞાનધારા જ ચૈતન્યદેવનું રક્ષણ કરે છે અને આંતરસૃષ્ટિમાં પ્રવેશેલ સાધક માટે આ દિવ્ય અનુભૂતિ છે. સમ્યગ્દર્શન થતાં આ વિભાગ પડે છે. સમ્યગ્દર્શન પહેલા તો એક જ ધારા હતી ને તે કર્મધારા. મિથ્યાત્વથી મૂઢ બહિરાત્મા એ ધારામાં વહી જતો. અનાદિ કાળનો આ સંક્ષિપ્ત ઈતિહાસ છે. પણ સમ્યગ્દર્શન ભેદ જ્ઞાનની તીક્ષ્ણ છીણીથી ભેદન કરે છે. તે પળેથી જ્ઞાનધારા વહેતી થાય છે. જ્ઞાનધારા ચેતનદેવનો જ આશ્રય કરે છે. ચેતનદેવને સ્પર્શ કરતી જ્ઞાનધારા પરમ આનંદમાં ઝીલણા ઝીલે છે. પણ સાથે કર્મધારા પણ છે. એનું વહેણ બંધ થયું નથી પણ સાધક એનાથી સ્ખલન પામતો નથી. એનામાં તણાઈ જતો નથી. તટસ્થ રહે છે. ઉદાસીન પણ નહિ અને આસક્ત પણ નહિ, માત્ર સાક્ષી. આ પળે વિશ્વનું વૈવિધ્ય ટળી જાય છે. વિશેષે ઊભા કરેલા ભેદો પલાયન થાય છે. આકારો અને પ્રકારોની રચના તૂટી પડે છે. ને મહાસત્તા સામાન્યની ઊર્ધ્વ ભૂમિકા પર અભેદના દર્શન થાય છે. આ એક અદ્ભુત દશા છે. જે સાધક સતત આ દશામાં રહે છે તે વિશ્વની ને વ્યક્તિગત સામાન્ય ભૂમિકા ઉપર જીવવા છતાં તે દ્વંદ્વાતીત દશા અનુભવે છે. હવે તો તદ્દન સામાન્ય પ્રશ્ન ચર્ચવાનો રહ્યો કે આ સિદ્ધાંત કે જે આદર્શ છે તેનો વ્યવહારમાં સુમેળ કઈ રીધે સાધવો? એનો અતિ સંક્ષેપમાં ઉત્તર છે, “પરમ કૃપાળુ પરમાત્માના ચરણે સર્વાંગીણ સમર્પણ.” આપણું સમગ્ર તંત્ર એનું જ અનુસરણ કરે અને આપણા સર્વ ઉપકરણો માત્ર એનો જ સાદ ઝીલે, એ માટે આપણે અહં પ્રેરિત કર્તૃત્વ ને ક્ષુદ્ર અહંકારે ઉત્પન્ન કરેલો માનવીય શક્તિનો આભાસ, એ બંનેને તિલાંજલિ આપવી જ રહી. ડખલગીરી કોણ કરે છે? આપણી ભેદબુદ્ધિ, જે આપણી શક્તિના આભાસમાંથી પ્રગટ થાય છે, એ દૂર થાય. એ સર્વ શક્તિમાન જેણે આપણી સમગ્ર જવાબદારી લીધી છે, જે આપણો નિયંતા છે ને જીવનનો ઘડવૈયો છે, જેણે પોતાની દિવ્ય કરુણાથી આપણને પ્રેમાસ્પદ બનાવ્યા છે એના જ સન્મુખ બની, એના તાલમાં આપણે તાલ મેળવવાનો છે. પણ આ કેવી રીતે કરવું? એની એક જ રીત છે અને તે એ જ કે “અનન્ય પ્રેમથી સતત એનું સ્મરણ.” Jain Education International For Private & Personal Use Only ૧૧૧ www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy