SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન ૧ મુ. મણુદ, તા. ૨૫-૩-૧૯૭૪ વિ. સં. ૨૦૨૦ ચૈ. સુ. ૧૧, મંગળવાર તમે તમારા જીવન માટે હજુ સુધી કોઈ નિશ્ચિત ધ્યેય પસંદ કર્યું નથી. અર્થાત્ જીવનને ધ્યેયના સાકાર સ્વરૂપ અર્થે અર્પણ કરવાનો સંકલ્પ નથી કર્યો. જીવન તો વહેતા નદીના નીરની માફક વહ્યું જ જાય છે. એ રાહ જોવા ઊભું નથી રહેતું. ને કાળચક્ર સતત ઘૂમ્યા જ કરે છે જે જિંદગીના દિવસો ઘટાડતું જાય છે. માટે માનવે બહુ જ વિવેકપૂર્વક, મનનપૂર્વક, ચોક્સાઈથી ને ઝડપથી જીવન માટે ધ્યેય નહિ પણ પોતાને પ્રાપ્ત થયેલી જીવનની સમગ્ર શક્તિ, બુદ્ધિમત્તા, કાર્યકૌશલ્ય, ડહાપણ ને કર્તૃત્વશક્તિ ઉપરાંત માનવીય જીવનના સમગ્ર સાધનો એ ધ્યેયને સાકાર સ્વરૂપ આપવા જ વાપરવા જોઈએ ને એ ધ્યેયને સતત સન્મુખ રાખી જીવનપથના યાત્રી બનવું જોઈએ. ધ્યેયની પસંદગીમાં જ માનવબુદ્ધિની, એને વરેલી સમજશક્તિની, ગંભીર અનુભવની, એણે મેળવેલા શિક્ષણની, જ્ઞાનની, પૃથક્કરણ શક્તિની, પસંદગીની રીતની ને કુશાગ્ર વિવેકની પરીક્ષા છે. જે માનવને ધ્યેય પસંદ કરતાં આવડે છે એ જ માણસ જીવી જાણે છે ને સંતોએ ગાયેલી માનવજીવનની પ્રશસ્તિને સફળ કરી જાણે છે. વિદ્યમાન વિશ્વ પાસે રહેલો સમગ્ર જ્ઞાન વૈભવ ને ઈતિહાસના આદિ કાળથી માંડીને આજ સુધીના હજારો ઋષિઓ, સંતો, સાધકો, વિવેચકો ને સાક્ષરોએ સર્જેલો શાસ્ત્રોનો ભંડાર, એનો ઉપયોગ માનવે ધ્યેયની પસંદગી માટે જ કરવાનો છે અને એને જ વિવેકબુદ્ધિ કહે છે. Jain Education International આ વિવેક માનવ મસ્તિષ્કનો મુગુટમણિ છે. એનાં દિવ્યચક્ષુ છે. જીવન યાત્રામાં કુશળ દોરવણી આપનાર વિચક્ષણ મંત્રી છે. વિવેકની પ્રાપ્તિ એ માનવીની ઉચ્ચ સિદ્ધિ છે. વિવેક એટલે ઈચ્છાઓ, ટેવો, વૃત્તિઓ, અનાદિ કાલીન સંસ્કારો, દેહ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ ને ક્ષુદ્ર અહંની માંગણીઓ, સંજ્ઞાઓ, સહજ વૃત્તિઓ અને For Private & Personal Use Only ૧૦૫ www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy