SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક (૧૨૧ એ તીર્થકર છે. તીર્થકર એ ઉપકાર સંપદા છે. વિશ્વમાં જેવો ઉપકાર તીર્થકર દેવકરી શકે એવો કોઈ કરી ન શકે. કારણ પ્રાણીનું સર્વશ્રેષ્ઠ હિત ધર્મમાં છે. એ ધર્મનો આધાર તીર્થ છે એ તીર્થની સ્થાપના તીર્થકરથી થાય છે માટે એ પરમ ઉપકારી છે. ૩૪ અતિશય ધારી છે. સામાન્ય જીવો તો વીતરાગને જાણતા જ નથી. એમને આત્માની ઓળખાણ નથી. એ તો પુદ્ગલમાં ગળાડૂબ ડૂબેલા છે. એટલે એમને પુદ્ગલનું જ આકર્ષણ છે. આ આકર્ષણ થાય માટે તીર્થકર દેવની આજુબાજુમાં પુદ્ગલની સર્વશ્રેષ્ઠ સૌંદર્યની રચના થઈ છે. એને અતિશય કહેવાય. એ અતિશય સંપદા પણ લોકો માટે ઉપકારી છે. ઉપકાર સંપદા અને અતિશય સંપદા જેમને હોય તે જિનેન્દ્ર અને માત્ર વીતરાગ તે જિન. વિતરાગ + ઉપકાર સંપદા + અતિશય સંપદા = જિનેન્દ્ર તીર્થકર જેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ભગવાનના છે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ બનાવવા તે સાધના. - રાગી સાથે રાગ કરવો એ તો લૌકિક વાત છે. પણ રાગ જેનામાં નથી એની સાથે પ્રેમ કરવો હોય તો લૌકિક ઉપાયો કામમાં ન આવે. ત્યાં કોઈ લોકોત્તર માર્ગ જોઈએ. આજ સુધીમાં રાગનું કેન્દ્ર રાગી હતું માટે રાગમાં ગુણાકાર થતો હતો. હવે રાગનું કેન્દ્ર વીતરાગ, માટે રાગમાં ભાગાકાર થવાનો. (૧૨૨) જે વસ્તુનો સ્પર્શ થાય ને કંપનો ઊઠે એ વસ્તુના મૂળભૂત તત્ત્વને મૂળ સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરવો. જેમ કે સ્ત્રી અને એના પ્રત્યેનું ખેંચાણ. આનંદ આત્માનો મૂળ સ્વભાવ છે. એ સ્વભાવ દબાવી શકાય નહીં. એટલે આનંદનો અનુભવ જોઈએ જ. આનંદનો અનુભવ સ્વભાવમાંથી અનુભવવાની કળા આવડતી નથી ને આનંદ માટે દબાણ આવે છે. એટલે દેહની ભૂમિકા ઉપર ખેંચાણ થાય છે. વિજાતીય તરફ ખેંચાણ થાય છે ત્યાં વિચાર એ થાય છે કે ખરેખર એ આનંદનું દ્વાર છે ખરું? ના, નથી. પણ તમે જો પ્રકૃતિનાં દર્શન કરતાં શીખો તો એ આનંદની અનુભૂતિ થઈ શકે. દા.ત. ખીલેલું ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy