SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - 1 ઓં અહં નમઃ : શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રવિચંદ્રસૂરિસર્ગુરુભ્યો નમઃ પ્રાક-કથન નિજાનંદ સ્વરૂપની અનુભૂતિ માટે જેના અંતરમાં પ્યાસ લાગી છે. . એવા મુમુક્ષુઓ વ્યાકુળ બની અંતરના અતલ ઊંડાણમાં પહોંચવા સ્વયં ખોજ : કરે છે, પણ આ તો અજ્ઞાત પ્રદેશ, ભોમિયા વિના એ પ્રદેશમાં કઈ રીતે આગળ વધવું? વળી માર્ગની અટપટી કેડીઓ, ચારે બાજુ મૂળ માર્ગથી દૂર લઈ જનારા તત્ત્વો, દિશા ભ્રમ પેદા કરે તેવા પરિબળો. આ બધાથી વ્યાકુળતા અને મૂંઝવણ અનુભવતા મુમુક્ષુને પરમ - પરમ પુણ્યોદયે જયારે એ માર્ગના અનુભવી ભોમિયા સંત મળે છે ત્યારે એ મુમુક્ષુ તૃપ્તિની ઝલક અનુભવે છે ને અનુભવી સંતોએ બતાવેલા માર્ગે ડગ ભરે છે. આવી જ એક અવસ્થાને જીવનમાં વર્ષો સુધી અનુભવતા ડૉ. શ્રી મહેન્દ્રભાઈને ઈ.સ. ૧૯૭૧માં પાટણમાં પૂ.ગુરુજીશ્રી ભાનુવિજયજી મહારાજનો પ્રથમવાર યોગ થયો ને જીવનમાં સમાધાન થયું. ( કૌટુંબિક અને સાંસારિક જવાબદારીઓ અદા કરતાં કરતાં સત્યના માર્ગે દઢતાપૂર્વક આગળ વધવું ઘણું વિકટ હોય છે. તેથી પોતાને ઉદ્ભવેલા પ્રશ્નો પૂ. ગુરુજીને પૂછયા ને ત્રણ વર્ષની મૌન સાધનામાં પણ ગુરુજીએ એના | ઉત્તરો લખી આપી સમાધાન કર્યું. ને કેટલાક સ્વતંત્ર સ્વાધ્યાય પત્રો પણ લખ્યા જેમાં પૂ. ગુરુજીની સાધકો અને મુમુક્ષુઓ પ્રત્યેની કરુણાના દર્શન થાય છે. આ પત્રોના ચિંતન, મનન, નિદિધ્યાસન દ્વારા ડૉ. મહેન્દ્રભાઈ પોતે તો : સત્યના માર્ગે આગળ વધતા ગયા એટલું જ નહિ પણ તે પત્રો રૂપી વચનામૃતોને કિંમતી રત્નો કરતાં પણ અધિક જાળવણી પૂર્વક સાચવી રાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy