SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (23) મનને નિર્મળ બનાવો હાલ્યા વિના બેસવું એ સ્થિરતા છે બહુજ વિવેકપૂર્વક વાણીનો સંયમ કેળવો. આ કામ મન વડે થશે. ધ્યાન કરવા શરીરને સ્થિર કરવું પડે. ધ્યાન બેઠા-બેઠા કરી શકાય તેમ ઊભા ઊભા પણ કરી શકાય. બેસીને ધ્યાન કરવું વધુ અનુકૂળ રહે, પણ સ્થિર બેસવું પડે. ધ્યાનમાં બેઠા પછી શરીરને જરા પણ હલાવાય નહિ. પણ ત્યારે મચ્છર કરડે કે ખંજવાળ આવે તો શરીર હાલી જાય છે. શરીરનહાલે તે માટે ‘આસન જયે કરવો પડે, આસન જય કરવા માટે આહાર જય’ કરવો પડે અને આહાર જય કરવા માટે ઇચ્છા જય’ કરવો પડે. આ જય ર્યા પછી જ મન ઉપર કામ થઈ શકે, મનની સાધના થઈ શકે. એક ગ્લાસમાં પાણી ભરી ટેબલ ઉપર મૂકો તો ગ્લાસમાં પાણી સ્થિર થઈ જાય છે. અહીં શરીર વાસણ છે અને મને પાણી છે. તેથી શરીર સ્થિર થશે તો મન સ્થિર થશે જ. સુખપૂર્વક જરા પણ હાલ્યા વિના બેસવું તે જ છે સ્થિરતા. વિકારથી શરીરની, મનની રીધમ તૂટે છે શાંત અને સ્થિર બેઠા પછી ધીરે ધીરે શ્વાસ લેવો અને ધીરે ધીરે શ્વાસ મૂક્યો. જો અંદર મનમાં ભય, ક્રોધ, ગભરામણ કે કોઇ પણ વિકાર હોય તો શ્વાસ તેજ ચાલે છે અને જો મન સમતોલ હોય- વિકાર ન હોય તો શ્વાસ પણ સમતોલ હોય છે. વિકારથી, અતિ આહારથી શ્વાસની ઝડપ વધે છે. પરિણામે શરીરની, મનની રીધમ-લય-તૂટે છે. જ્યાં મન હોય છે ત્યાં પવન હોય છે અને પવન હોય છે ત્યાં મન હોય છે. મન જીતાય તો પવન (પ્રાણ) જીતાય અને પ્રાણ (પવન) જીતો તો મન જીતાય. ઈન્દ્રિયોને આત્મા તરફ વાળવી એ છે “પ્રત્યાહાર” ઇન્દ્રિયો વારે વારે વિષયો તરફ જવા ટેવાયેલી છે. જેમ જયાં ગળ્યો ખોરાક- હોય ત્યાં કીડીઓ હારબંધ જતી હોય છે. તેમ જ્યાં વિષયો હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy