SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તો (૨૦) સદ્ગુરુ મળશે જ મનનો લય કરો માણસ ઘણા વર્ષોથી સાધના કરતો હોય છતાં તેનું મન સ્થિર ન થયું હોય તેવું થયું છે. કારણ માણસે વિષયો, વિકારો, મનુષ્યો, પદાર્થો અને સંયોગોનું ધ્યાન કર્યું છે. મન એમાં ટેવાયું હોવાથી પરમાત્માં સ્થિર થતું નથી. પણ જે માણસની પૂર્વ તૈયારી સારી હોય, વ્યવસ્થિત હોય તેનું કામ સારી રીતે પાર પડે છે. વીજળી ગમે ત્યારે જાય પણ ફાનસ તૈયાર હોય તેને અંધારામાં અટવાવું પડતું નથી. પિલજી કહે છે : “ધ્યાન પ્રક્રિયાથી મન શુદ્ધ થાય છે, પછી મન પરમાત્મામાં એકાગ્ર થાય છે અને ત્યાં તેનો લય થાય છે. ‘જેમ મીઠાની પૂતળી દરિયો માપવા ગઇ તે પછી ન દેખાઇ તેવું થાય છે. સ્વસ્થ મન સદા પ્રસન્ન કબીરજી કહે છે : ‘મન છે તો માયા છે અને મન મયું તો માયા ગઇ. મન ગયું એટલે તેમાંથી વાસના, વિકાર, મેલ ગયો.’ કબીરજી, સંત તુકારામજી, એકનાથજી અને નરસિંહજી બધા જ સંસારી હતા. છતાં સસારનો લય કરી શકયા હતા. તેઓ જીવનમાં હરહાલતમાં ખુરા રહી શકતા હતા, જેમ ફૂલ સુગંધ આપતું રહે છે, નદી વહેતી રહે છે, વૃક્ષ છાંયો આપતું રહે છે, કોયલ ટહુકો કરતી રહે છે.વ્યક્તિ અને સંયોગ બદલાતા રહેશે, ગમતું- અણગમતું થતું રહેશે તો પણ જેનું મન સ્વસ્થ છે, મટી ગયું છે તે પરમાત્મામાં ઓગળી શકે છે. સ્વસ્થ મન કોઇ પણ હેતુ વગર સદા પ્રસન્ન રહી શકે છે. Jain Education International રાષ્ટ્ર મન તેની બુદ્ધિ સ્થિર સીતાજીને વનમાં જવાનું નહોતું પણ એ પતિને પગલે વનમાં ચાલ્યા. તો આજની કરાટે શીખનારી પત્ની પતિને પાઠ શીખવવાની વાત કરે છે. જંગલમાં કાંટા, ઝાંખરા, ખાડા અને ટેકરા ભલે હોય સાથે પતિ શ્રી રામ છેને એવી સીતાજીની સમજ હતી. સીતાજીના લગ્ન થયે ફક્ત છ જ મહિના થયા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy