SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સંદેશ (૬૯) એ કાલે રહેશે કે નહિ તેની શંકા છે. વળી પરલોકની કોઇને પણ ખબર નથી માટે આવી માથાકૂટ મૂકીને ભોગ ભોગવો.’’ કાર્લ માર્કસે કહ્યુંઃ ‘ધર્મ ઝેર છે. કપિલજીએ સાંખ્યદર્શનની રચના કરી છે સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુનિ છે. સાંખ્ય એટલે સંખ્યા. પ્રકૃતિનાં ચોવીસ તત્ત્વો અને એક પુરુષ (આત્મા) મળી ૨૫ ( પચીસ) તત્ત્વોથી જગત ચાલી રહ્યું છે. ભાગવત મહાસાગર છે, તેને સમજવા માટે ઘણા ઊંડાણમાં ડૂબકી મારવી પડશે. કપિલજીએ ભાગવત કથા સૌ પ્રથમ તેમના માતાજી દેવહુતિને કહી. પ્રકૃતિ અને પુરુષ જુદાં છે તે કહ્યું. પ્રકૃતિ તરફ જતા ચિત્તને પુરુષ (આત્મા) તરફ વાળવાની વાત પણ કરી. માતા દેવહુતિએ કહ્યું : ‘આ વાત મને બરાબર સમજાતી નથી.’ તે સાંભળી મુનિકપિલજીએ ભાગવતમાંના ભક્તિયોગની વાત કરી. શુકદેવજી મહારાજ સમાધિમાં ઘણું રહેતા હતા. એમણે સમાધિ ભાષામાં ભાગવત્ કથા કહી છે. મોહનો અંશ હોય ત્યાં સુધી જન્મ ચાલુ રહે છે કર્દમ ઋષિ કપિલમુનિના પિતા હતા. એમણે ઘોર તપ વર્ષો સુધી કર્યું. આવું તપ થયા પછી મોક્ષ મળવો જોઇએ, જન્મ મરણમાંથી મુક્તિ મળવી જોઇએ, રાગ-દ્વેષ વિગેરે તમામ વિકારો જવા જોઇએ પરંતુ થોડોક મોહનો વિકાર અંદર વળગી રહ્યો હતો. તેમાંથી એક ઇચ્છા બહાર આવી છે. જો વૃક્ષ જમીનમાંથી કાપતાં થોડું પણ તેનું મૂળ રહી ગયું હોય તો તેમાંથી નવું વૃક્ષ પ્રગટ થાય છે. ખીલ થયો હોય તેને કાઢી નાખો છતાં અંદર બીયું (દાણો) રહી ગયો હોય તો ખીલ વકરીને મોટું ગૂમડું થાય છે. એજ રીતે અંદરથી મોહ સમૂળગો ગયો ન હોય, અંશ પણ તેનો રહ્યો હોય તો જીવન ફેર આવે છે. જન્મ – મરણનું ચક્કર ચાલુ જ રહે છે. કર્દમ ઋષિએ ગૃહસ્થાશ્રમનો સ્વાદ એક વખત લીધો છે હવે, સંતતિનો મોહ એમને થયો છે. તપ કરવાં છતાં આસક્તિ થાય તો નર્ક મળે કર્દમ ઋષિના તપના કારણે પરમાત્માનું સાકાર સ્વરૂપ પ્રગટ થયું. ઋષિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy