SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) ભાગવતતો સદેશ મિનિટ)નું જ આયુષ્ય બાકી હતું તેવા અંદરથી આસક્તિ-મારાપણું છોડી પરમાત્મામાં લીન બની શક્યા, તરી ગયા, મોક્ષ પ્રાપ્ત કરી શક્યા તો તમારી પાસે તો પૂરા સાત દિવસ છે. એ સમયે તમારી સાધના માટે પૂરતો છે. તમે મને પૂછેલું કે “મૃત્યુ સમયે માણસે કેવી રીતે વર્તવું? તો સાંભળો સૌથી પહેલાં તો મરણનો ભય ન રાખવો. એ ભાવ દઢ હોય કે “જગત મરણ સે ડરત હૈ, મો મન બડો આનંદ. મૃત્યુથી ભયભીત થવાનું નહિ પણ એને વેલકમ કહો. જે ઘટના બનવાની જ છે તેનો વળી ડર શો? વિચારો કે તમે સતત આ જગતમાં દર્શનીય રહી શકશો ખરા? ના જો રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ નથી દેખાતા તો તમે કેવી રીતે દેખાશો ? માટે મૃત્યુથી ગભરાવા જેવું નથી. શરીરની આસક્તિ, સંબંધ રાખનારા પ્રત્યે મમતા ગમે તેટલી હોય છતાં શરીર તો જવાનું જ. શરીર પ્રત્યેનો મોહ વૈરાગ્યથી કાઢો. અને વિચારો કે : વહાલારે વહાલાશ્કરો, વહાલા વોળાવીવળશે વહાલા તે વનના લાકડાં તે તો સાથે જ બળશે. ભોગમાં જન્મો પણ યોગમાં મરો હે રાજા, પછી ધીરજ પણ જોઇએ. કેમ કે આટલું ર્યા પછી તરત જ મરી જવાશે તેવું પણ બને. કવિ કાલિદાસે કહ્યું છે કે ભારતીય પરંપરા એવી છે કે જન્મવું ઘરમાં પણ મરવાનું વનમાં એટલે કે યોગમાં મરવાનું. માટે મરણ સમયે ઘર ત્યજવાનું ‘ભોગમાં જન્મો, પણ યોગમાં મરો.’ વનમાં કોઈ સંતના ચરણમાં જઈ બેસો. પછી અ.ઉ.મ અક્ષરોના સંયોજનથી થતા પ્રણવનું ધ્યાન કરો, ૐ જપો. એનાથી પ્રાણ શાંત થશે. સદ્ગુરુએ આપેલો મંત્ર પણ જપી શકાય. પછી બુદ્ધિને વિષયોમાંથી પાછી ખેંચો અને મનને ધ્યાનથી શાંત કરો. આમ કરવા માટે પરમાત્માના સાકાર સ્વરૂપનું ધ્યાન કરો. ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું ધ્યાન એકાગ્રતાથી કરો. મંદિરમાં પ્રભુમાં ડૂબો મંદિરમાં જાવ ત્યારે મૌન રહો. આજે મંદિરે જનારો જોરશોરથી ઘંટ વગાડે છે, જાણે ભગવાનને જગાડતો હોય. ભગવાનના મધુર સ્વરૂપમાં આંખ, નાક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy