SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) ભાગવતો સદેશ વાત કરે છે. ‘વળી એ પ્રશ્ન છે કે હે મહાત્મન, આપ વધુ સમય તો રોકાવાના નહિ કેમ કે પરમહંસ મુનિઓ ગાય દોહવા જેટલા જ સમય સુધી એક જગ્યાએ રોકાય છે. માટે મને એ કહો કે મારે શું કરવું જોઇએ?” - શુકદેવજીએ કહ્યું હે રાજા, તે જે જે પ્રશ્નો પૂછયા છે તે કેવળ તારા જ નહિ પણ સર્વલોકના કલ્યાણ માટે પૂછયા છે. અને તે રાજા, આવા પ્રશ્નો તો ઉત્તમ પુરુષોના હૃદયમાં જ ઉદ્ભવે છે. તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતો કરી છે. માણસ ઝાંઝવાને સત્ય માની જીવન વેડફે છે ગૃહસ્થો કામ ધંધામાં અટવાયેલા છે. એમને બિન જરૂરી વાતો સાંભળવાનો અને એવી ક્રિયાઓ જોવાનો રસ છે. એમનો દિવસ બીજાને રાજી રાખવામાં અને રાત વ્યસન, ભોગ, બળાપા કરવા, પડખાં ફેરવવામાં અને નિદ્રામાં જાય છે. એમને ભજન-ધ્યાન કરવાનો સમય નથી મળતો. આવા માણસોનાધનિષ્ટ સંબંધમાં સૌથી પ્રથમ એમનું શરીર છે, પછી પત્ની, સંતાનો, માતા-પિતા, ઘર અને ધંધો હોય છે. ખરેખરતો જે દેખાય છે છતાં નથી એવા અસતુ, ઝાંઝવાના જળ જેવો આ સંસાર છે, એવું જોવા અને જાણવા છતાં ગૃહસ્થ એમાં અટવાયો છે. ઓછું અજવાળું હોય અને માણસ રસ્તા ઉપર જતો હોય ત્યારે ઝાડનું ઠું કે જાહેરાતના બોર્ડ માટેનું લાકડું જમીનમાં ખોડેલું હોય તેને જોતાં તેને કોઈ માણસ ઊભેલો દેખાય છે તેથી એ પડકાર કરે છે, “આધો ખસ.’ પણ એ રસ્તે ચાલતો બીજો માણસ એને કહે છે : ભાઈ, આતો લાકડાનું ઠુંઠું છેજાહેરાતના પડદા માટેનો થાંભલો છે, કોઈ માણસ નથી.’ આના જેવું જ બધા પદાર્થોનું છે. પદાર્થ દેખાય છે ખરા, પણ વપરાશે ખતમ થનારા, કે સ્વયં નાશ પામનારા. પદાર્થોના મોહમાં માણસ એટલો બધો ઘાંઘો થાય છે કે તે આવા કામમાં પોતાનાં અમૂલ્ય આયુષ્યનાં વર્ષો ઓછાં કરે છે, તેનું ભાન રહેતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy