SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ () ભકિતમાર્ગ સૌથી શ્રેષ્ઠ વ્યાસજીનો વિષાદ ભાગવતમાં રાજા પરીક્ષિતની વાત સમજવા જેવી છે. રાજાએ આવકાર નહિ મળવાની લાગણીથી સમાધિસ્થ ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો. ષિ પુત્રે આ જોઈ રાજાને શાપ આપ્યો કે આજથી સાતમા દિવસે આ કૃત્ય કરનારનું તક્ષક નાગના દંશ આપવાથી મૃત્યુ થશે. હવે રાજાને માટે એ પ્રશ્ન ઊભો થયો કે સાત દિવસમાં તેનો ઉદ્ધાર થાય એવું શું કરવું? શુકદેવજીના મુખેથી ભાગવત’ બોધ સાંભળવાની સલાહ મળી. રાજા શુકદેવજીને મળ્યા. શુકદેવજીએ સાત દિવસ સુધી ભાગવતની તત્ત્વ વાર્તા રાજાને કહી. રાજાએ પણ એવી સાંભળી કે એમનો મોક્ષ થયો. શુકદેવજી મહાજ્ઞાની, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હતા. અને જ્ઞાનની અભિવ્યક્તિ બહુ સુંદર રીતે કરી શકે તેવા ઉત્તમ પ્રકારના વકતા હતા. તેઓ મહાભારત, ભાગવત જેવા પુરાણો તથા અનેક ઉપનિષદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસના પુત્ર હતા. સંસારની અસારતા જણાતાં જ શુકદેવજી સંસાર છોડીને ચાલી નીકળ્યા. ત્યારે પુત્ર મોહથી ગ્રસ્ત વ્યાસજી તેમની પાછળ હે પુત્ર, હે પુત્ર’ એમ બોલતા દોડ્યા. રસ્તામાં એક સરોવર આવ્યું તેમાં સ્ત્રીઓ નિર્વસ્ત્ર નહાતી હતી. તેમને કામમુક્ત શુકદેવજીથી સંકોચન થયો. પણ પાછળ દોડતા આવતા વ્યાસજીને જોઈ સંકોચ થયો. અને કપડાં પહેરી લીધાં. કારણ વ્યાસજી કામ યુક્ત હતા. વ્યાસજીને પોતાની આવી અવસ્થાને કારણે દુઃખ હતું. શોકવશ વ્યાસજીને જ્ઞાની નારદજી મળ્યા. વ્યાસજીની સ્થિતિ જોઇનારદજીએ કહ્યું બ્રહ્મ સૂત્રો અને મહાભારતની રચના કરી છતાં તમને કૃતાર્થ થયાનો આનંદ થયો હોય તેવું જણાતું નથી, કેમ કે તમે વિષાદગ્રસ્ત છો. વ્યાસજી બોલ્યા :” મહારાજ, આપે સાવ સાચું જ કહ્યું છે. મારું હૃદય આજે સંતુષ્ટ નથી. તમારું જ્ઞાન અગાધ છે, માટે તમે મારી આ સ્થિતિ બદલાય અને મને પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવો ઉપાય બતાવો.” - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy