SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૦) ભાગવતતો સંદેશ પરમ પૂજય ગુરુજીને કોટી કોટી વંદન... આજથી બરાબર ૪૩ વર્ષ પહેલાં ૧૯૬ ૬માં સાગોડિયા ગામની પંચાયતે ભેટ આપેલ ૬૮ એકર જમીનમાં મુનિશ્રી ભાનુવિજયજી મહારાજે સર્વ મંગલમ્ આશ્રમની સ્થાપના કરી હતી. તેમનો હેતુ શુભ શિક્ષણ દ્વારા બાળકને સંસ્કાર આપીને સાચો માણસ બનાવવાનો હતો. એ વખતે એમની ઉંમર માત્ર ૩૫ વર્ષની હતી. એમણે ૧ ૨ વર્ષની ઉંમરે ભગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. પાંચ વર્ષ સુધી અનેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી જ્ઞાનબોધ આપવો શરૂ કર્યો. પૂ. ગુરુજીએ લોક-કલ્યાણના કાર્યો જેવાં કે બુનિયાદી તાલીમ શાળા, છાત્રાલય, ગૌશાળા સાથે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રની સ્થાપના કરી. સાથે સાથે સર્વ મંગલમ્ પરિવાર આશ્રમ, પાટણમાં દર રવિવારે જાહેર ધાર્મિક પ્રવચનો આપવા માંડ્યા અને તેના ઉપક્રમે પાટણ શહેરમાં ચાતુર્માસના પ્રવચનો પણ આપવા માંડડ્યા. ૪૩ વર્ષ પહેલાં જે સ્થળ માત્ર જંગલ હતું તે સ્થળે મંગળ રૂપ ધારણ કર્યું છે. આ બધું પૂ. ગુરુજીની સાધના અને તપશ્ચર્યાને આભારી છે. આ ‘ભાગવતનો સંદેશ’ પુસ્તકથી આપણે એક વધુ નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ. એની પાછળ પૂ. ગુરુજીની પ્રેરણા અને અમિદષ્ટિ રહેલી છે. સર્વ જન હિતાય અપાર કરુણાથી વરસી રહેલ પરમ પૂજ્ય ગુરુજીની પ્રેમની સરવાણીનો સતત લાભ મળતો રહે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને આપણી પ્રાર્થના છે કે આ નૂતન વર્ષે પૂ. ગુરુજીને નિરામય અને દીર્ઘ આયુષ્ય બક્ષે. લિ. સંપાદક મંડળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy