SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૯) અનુભવથી તે જ્ઞાન આવે છે. સદ્ગુરુ પરમાત્માને પ્રિય છે સદ્દગુરુએ પરબ્રહ્મ પરમાત્માના આશયથી પૂર્ણતા પ્રાપ્ત કરી છે અને પૂર્ણ શાંતિ અનુભવી છે. આવા સદ્ગુરુ-સંત હંમેશા પરમાત્માની સાથે ઐક્યભાવથી જીવે છે. આથી જ સરુનો આશ્રય શાંતિ અને શીતળતા આપે છે. ‘શાંતિ પમાડે એને સંત કહીએ,’ આવા અધિકારી સદ્ગુરુ પણ સત્પાત્ર શિષ્યની શોધમાં હોય છે. જીવનમાં આવાસરુમળી જાય તો, તેમના વચનો, આશા અને બોધનું પાલન મન વચન અને કાયાથી કરવું. નિષ્કપટ ભાવે અને શરણાગત ભાવે તેમની સેવા કરતાં કરતાં અહંકાર ઓગળે છે. સદ્ગર કરુણા સિંધુ હોઇ, શિષ્ય ઉપર કૃપા કરીને તેને પરમાત્મા તરફ દોરી જાય છે. આમ સદ્ગુરુની સેવાથી જ અહંકાર ઓગળે છે. સદ્દગુરુકણાની, પ્રેમની અને સત્યની જીવંત મૂર્તિ છે તેથી જ તે પરમાત્માના પણ પ્રિય છે. સંતવ્યમાં ઊતરીને જ્ઞાન મેળવવાનું છે - સંતો પાસે મતાગ્રહ મૂકીને જ જવાય. તેમનો વધુને વધુ લાભ લેવા નમ્રતા સભર, જાણકારી બાજુમાં મૂકીને, ખાલી મન કરીને, મૂકીને જવાનું હોય, એમ કરાય તો જ સંતનું જ્ઞાન મેળવી શકાય. એટલે કે માયાને બાજુમાં મૂકીને સંત પાસે જવાનું. માયાને તરવા માટે જ, જેમણે માયા જીતી છે તેમનું શરણું લેવું પડે. એ અઘરું કામ છે. સાધુ જેણે સંસાર છોડયો છે, તેને પણ માયા પજવે છે. સંત જેમણે માયા જીતી છે તે, સત્પાત્ર શિષ્યને, પોતાના જીવ કરતાં પણ વધારે વહાલા હોવા જોઇએ. એમ થાય તો જ એ સંતદ્દયમાં ઊતરી શકે અને તેમનું જ્ઞાન પામી શકે. સરળને પરમાત્મા મળે શિષ્ય પોતાની સરળબુદ્ધિથી અને નિષ્કપટભાવે પ્રત્યેક ક્રિયાથી સદ્ગુરુની સેવા કરવી. તેમની સૂચના પ્રમાણે પૂજા, ધ્યાન કરવું. પોતાની જરૂરિયાત-ખાવું, પીવું, ઊંઘવું એ પણ સદ્ગુરુની સેવા ગણીને કરવી. તે જ રીતે સદ્ગુરુની અંગ સેવા પણ દંભ, આડંબર વિના કરવી. જો એ સેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy