SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (પ3) સરળને પરમાત્મા મળે સુખ બ્રહ્મ પ્રાપ્તિથી મળે છે - બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે શું કરવું? એ લક્ષ્ય ઇચ્છુક માનવ એવી એક ચેતનાના સંબંધમાં આવે જેનો સંબંધ એ બ્રહ્મ સાથે હોય. માણસે હજારો માણસો સાથે સંબંધો જોડ્યા પણ આવી પરમ ચેતના સાથે સંબંધ જોડ્યો નથી. આ ચેતના જોડે લૌક્કિ સબંધ ન હોય છતાં અતૂટ સંબંધ હોય. એટલે કે જેને કશું મેળવવાની ઇચ્છાનથી એવા આત્મજ્ઞાની પુરુષ સદ્ગુરુ તરીકે મળવા જોઈએ. જેમની પાસેથી અતીન્દ્રિય શક્તિના સંકેતો-આંદોલનો-આવે છે, એ આંદોલનો ઝીલવાની તેમનામાં શક્તિ છે એવા સગુરુનું તેણે શરણ લેવું જોઇએ. અનેક ભૌતિક પદાર્થો પાસે હોય તેથી સુખ વધતું નથી, જીવન સરળ થતું નથી. સુખ અને સરળતા તો બ્રહ્મ પ્રાપ્તિથી મળે છે. સદ્ગુરુ શિષ્યના વિકાસે કાઢે છે આત્મજ્ઞાની સદ્ગુરુ શિષ્યના દોષો કાઢે છે પણ તેની ખુમારી ઓછી થવા દેતા નથી. સૌ પ્રથમ તેનો અહંકાર ત્યાર પછી બીજા વિકારો કાઢે છે. શબ્દબ્રહ્મ, પરબ્રહ્મનો પ્રગટ નુભવ કર્યો છે તેવા સદ્ગુરુ અગાધ જ્ઞાની છે. તે અનેક શાસ્ત્રો જાણે છે પણ જાણકારીનો આગ્રહ, મતાગ્રહ કે કદાગ્રહ તેમનામાં નથી. એ ક્યારે પણ અમે કહીએ છીએ તેવું નથી કહેતા પણ ભગવાન પતંજલિ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ આમ કહ્યું છે એમ કહે છે. કેમ કે સર્વ ધર્મ તરફ તેમને સમભાવ છે તેથી તેમનામાં કોઇની પ્રત્યે પૂર્વગ્રહ નથી રહ્યો. તેઓ જાણે છે કે સત્ય તો એક જ છે પણ તેને કહેનારા અને કહેવાની ભાષા અલગ-અલગ છે. તેથી વિવિધતા આવે છે. આ કારણે જ શબ્દ બ્રહ્મનો મહિમા છે. શાસ્ત્રો વાંચીને માહિતી મેળવનારને આત્મજ્ઞાન મળતું નથી. એની પાસે જ છે તે ફકત માહિતી જ્ઞાન છે, અનુભવ જ્ઞાન નથી. તેથી તે શબ્દોમાં રમે છે. પરમાત્માના હજારો નામ છે. એ જાણવાથી કે બોલવાથી કાંઈ બ્રહ્મજ્ઞાની થવાનું નથી, પણ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy