SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૪) ભાગવતતો સંદેશ રીતે પડે? એ ખબર ગુરુથી પડે છે. સદ્ગુરુને માધ્યમ બનાવો માણસ ઉપર માયાની સત્તા અને માયા ઉપર ભગવાનની સત્તા છે. માયામુક્ત થવું હોય તો પરમાત્માના શરણે જાવ. માણસ જ્યારે પણ પરમાત્મ સન્મુખ થવા, તેની પાસે જવા કોશિશ કરે છે ત્યારે માયા પોતાના તમામ શસ્ત્રો સજીને માણસને કહે છે : “મને મૂકીને ન જવાય.’ પણ જો માણસનું માધ્યમ સદ્દગુરુ હોય તો તેઓ માયાના લક્ષણો ઓળખાવી માયાથી દૂર રહેવાના ઉપાયો બતાવી, માયા પતિ પાસે લઇ જાય છે. જ્ઞાનાગ્નિમાં સર્વ કર્મ બળે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું: ‘મામેકં શરણં વ્રજ.’ આનો અર્થ માણસો ખોટો કરે છે કે : બધા ધર્મો છોડી મારા શરણમાં આવે.” ખરો અર્થ એ છે કે : પ્રકૃતિના ત્રણે ગુણો (ધર્મો) છોડીને મારા (ભગવાનના) શરણે આવે.’ આ રહસ્ય સદ્ગુરુ જણાવે છે. સદ્દગુરુને સ્વીકારો તો તેમની આજ્ઞા પાળજે. અહીં કુ ગુરુ અ સદ્ગુરુની વાત નથી પણ સદ્ગુરુ જે આત્મજ્ઞાની છે તેમની વાત છે. જેમ અગ્નિમાં બધું જ સળગી જાય છે તેમ સદ્ગુરુ જે જે જ્ઞાન આપે છે તેના અગ્નિમાં (જ્ઞાનાગ્નિમાં) સર્વ કર્મો બળે છે. સદ્ગુરુનું શરણ માયાનું હરણ જે આચરણ કરવાથી રાગ-દ્વેષ તૂટે છે તે કરવાનું સદ્ગુરુ કહે છે. જો સર શરણ લઈ તેમની આજ્ઞાએ ચલાય તો દુષ્કર માયા જરૂર જીતાય. કારણ તેમની કૃપા એવી બળવાન છે. સદ્ગુરુને મળતાં માણસ પરમાત્મા તરફ વળે છે, જગત તરફથી મોં ફરી જાય છે અને પછી તો માયાને ભાગવું પડે છે. કારણ માણસના હૃદયમાં એકને જ સ્થાન છે તે માયા પતિ પરમાત્માને ગ્રહણ કરે પછી માયા રહી જ ન શકે. માયાને કેમ જીતવી તેવાં નિમરાજાના પ્રશ્નનું સમાધાન શ્રી હરિજી નામના સંતે આ પ્રમાણે સમજાવીને આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy