SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) - - ભાગવતતો સદેશ જીભ રસ ઝેરવે છે અને હાથ બરકી મોમાં મૂકે છે. વસ્તુનું આકર્ષણ તો મનને થાય છે. માયા માણસને વશ કરે છે શરીરનું અભિમાન માણસને પ્રથમ થાય છે. બીજાં અભિમાન તો પછી છે. દેહાભિમાની માણસ પણ સત્કર્મો તો કરે છે, પણ એ સકામ એટલે ફળેચ્છાથી કરે છે. અહને વશ થવાથી ફળાકાંક્ષા જાગે છે. તેવાકર્મમાં કર્તાભાવ આવે છે તેનાથી ઉત્પન્ન થતું કર્મ એ માણસને અશુભ ગતિમાં જ લઈ જાય છે. આ રીતે માયામાં વારંવાર ઢળવાના કારણે તે પુણ્યની સાથે પાપ પણ મેળવે છે. પરિણામે જગતમાં તેનું આવાગમન ચાલુ જ રહે છે. આવી રીતે માયા માણસને વશ કરે છે છતાં માણસ માયાના પાશમાંથી છૂટવાનો પ્રયાસ કરતો નથી. માણસ ગુણાતીત બને માણસમાં અહમ્ ધનનો લોભ હોય એ “રજો ગુણ છે. સંતસમાગમ, પ્રાર્થના, સ્વાધ્યાય, ધ્યાન, પરોપકાર હોય એ સત્ત્વ ગુણ છે, અતિ ભોગેચ્છા, પ્રમાદ ‘તમોગુણ છે. આ ત્રણે ગુણો અન્યમાં અને પોતાનામાં જણાય તે છતાં માણસ માયામાંથી છૂટવા પ્રયાસ નથી કરતો. માણસમાં પ્રકૃતિના આ ત્રણે ગુણો મિશ્ર હોય છે. એક ગુણ પ્રધાનપણે હોય છે. માણસે ક્રમશઃ તમોગુણમાંથી રજો ગુણમાં અને તેમાંથી સત્વગુણમાં પ્રવેશ કરવો જોઇએ. અંતિમ સાધના ગુણાતીત થવાની હોવી જોઇએ. માયા પતિની ઓળખ કોણ આપે? સંત હરિજી કહે છે: “માણસને માયા સ્પષ્ટ દેખાય છે. પણ બ્રહ્મને કયારેય જોવો નથી. માણસે એ સમજવાનું છે કે માયા છે તો માયા પતિ’ પણ છે. એ માયાના સ્વામી છે. એ જ બ્રહ્મ છે. જો માણસ માયાના પતિ બ્રહ્મપરમાત્મા-તરફ લક્ષ રાખે તો માયામાંથી છૂટી શકે. જેમ સ્ત્રીનું તમામ લક્ષ તેના પતિ તરફ હોય છે. પ્રશ્ન થાય કે માયા પતિની સમજ, તેની ખબર કેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy