SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૨) ભાગવતનો સંદેશ ચિરંતન સુખ પામવા તે કામનાં નથી. પરમાત્મ સન્મુખ સાથે સંબંધ જોડો પદાર્થો કાયમ ટકે તેવા નથી. નવા વસ્ત્ર લાવ્યા. પર્યા, ફાટ્યા, ગાભા થયા, પોતાં થયાં, મસોતાં થયાં. આમ, પદાર્થ સતત પરિવર્તન પામતો રહે છે. ફૂલ સુંદર હતું તેના ઉપર કવિએ કાવ્યરચ્યું પણ અચાનક ખરી પડયું. વસ્તુલાવ્યા પછી તેની સાથે તાદામ્ય થઈ જાય છે. કાચનો ગ્લાસ બહુ જ કિંમતી હતો. વહુના હાથે તૂટ્યો તો સાસુએ ઠપકો આપ્યો. પણ કાચનો પ્યાલો તૂટવાનો જ, ભલે તે સુંદર હોય, કપડું ફાટવાનું જ ભલે તેનું સુતરમજબૂત હોય. પદાર્થ માત્ર અસત્ છે. એની સાથે આસક્તિ રાખવાથી માણસનું ચિત પરમાત્માથી વિમુખ થાય છે. પરમાત્મા સામે જ છે પણ માણસ તેમનાથી મોઢું ફેરવીને ઊભો છે. પરમાત્માથી જોડાયેલો માણસ તેની સન્મુખ છે. અને પદાર્થસાથે જોડાયેલો માણસ પરમાત્માથી વિમુખ છે. એ વિમુખનો સંગ અનાત્મતરફ લઈ જશે. જે તમારા નથી એ પદાર્થ અને વ્યક્તિ અનાત્મા છે. અને જે પરમાત્મ સન્મુખ છે તેની સાથે સંબંધ જોડજો. પરમાત્માના ગુણાનુવાદ ગાતા રહો કવિ મહાશય કહે છે: રાજન, પરમાત્મા નિરાકાર છે, સાકાર નથી. એમનું સાકાર સ્વરૂપ આત્મજ્ઞાની સદ્ગુરુ છે. તેમની સાથે તમે સંવાદિતા કરજો. પરમાત્માનું ચિંતન કરતાં કરતાં પણ વચ્ચે બાહ્ય વસ્તુ-વ્યક્તિ આવી જાય છે. અને તેમનું ચિંતન થઈ જાય છે. માણસ ત્યારે સતર્ક ન હોય તો પરમાત્મ ચિંતન ભૂલાય છે. અને પદાર્થ વ્યક્તિમાં જ સુખ છે તેમ મનાય છે. પણ સદ્ગુરુ દ્વારા બોધ મળતાં અધ્યાત્મ-સમજ મળે છે. જ્ઞાન મળે છે ત્યારે એ માન્યતા ખરી પડે છે. એ ભ્રમણા લાગે છે. માટે મનને પદાર્થ-વ્યક્તિમાં જવા દેશો નહિ. પરમાત્મામાં જ મન પરોવવું હોય તો નિરંતર પરમાત્માના ગુણાનુવાદ ગાતા રહો, તેમની કથા સાંભળતા રહો, તેમનું સંકીર્તન કરતા રહો. સતત એમ કરતા રહો તેમાં સંકોચ ન રાખશો. અને કોઈપણ વ્યક્તિ, વસ્તુ, સંયોગ પ્રત્યે આસક્તિ રાખશો નહિ. આસક્તિથી મુક્ત થશો તો જ તમે વિના સંકોચ જેમ મીરાં, નરસી, ચૈતન્ય ઝૂમ્યા તેમ નાચી-ઝૂમી શકશો. મહારાષ્ટ્રમાં વાર કરી સંપ્રદાય છે. તેમાં મોટા મોટા માણસો પણ વિઠ્ઠલ-વિઠ્ઠલ કરતાં તાલી પાડીને નાચે છે. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy