SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૮૧) સંવાદમાંથી ત્રિપીટક ઉત્પન્ન થયાં. આવાં શાસ્ત્રો વાંચ્યા પછી પણ જે સમસ્યાનો ઉકેલ ન આવે તે જીવંત આત્મજ્ઞાની સત્પુરુષથી આવી શકે છે. માણસ વાસના, વિકારો અને મતાગ્રહથી યુક્ત છે તેથી તેની બુદ્ધિ અશુદ્ધ છે. સત્પુરુષ સંગે જેમ જેમ તેની બુદ્ધિ શુદ્ધ થતી જાય છે તેમ તેમ તેનું અંતઃકરણ શુદ્ધ થતું જાય છે અને આત્મ સત્તાને જાણનારી પ્રજ્ઞાને પામતો જાય છે. અહંકાર છોડો પ્રભુને પામો : રાજન, મુમુક્ષુના નેત્રો મહાત્માને અને મહાત્મા મુમુક્ષુને ઓળખી લે છે. રાજાના પ્રશ્નના જવાબમાં નવ મહાત્માઓમાંના કવિ નામના મહાત્માએ કહ્યું અનન્ય શરણાગતિ એ ભાગવત ધર્મનો અદ્ભુત ઉપાય છે. આ ભાવ જીવનમાં ઊતરે એ મુમુક્ષુની અવસ્થા છે. દ્રૌપદીનાં વસ્ત્રો દુશાસન ઉતારતો હતો. એ વસ્ત્રને જાળવવા દ્રૌપદી મથતી હતી ત્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ વસ્ત્ર પૂરવા પ્રયાસ નહોતા કરતા, મથવું તે અહંકાર છે. અહંકાર પડતો મૂકાય, જાય ત્યારે જ શ્રીકૃષ્ણની સહાય મળે. કારણ અહંકારમાં ર્ડા ભાવ છે. ર્તાભાવમાંફળાા છે. તે હોય ત્યાં આશા અને નિરાર હોય છે. જેવી દ્રોપદીએ મથામણ છોડી કે કૃષ્ણે વસ્ત્રો પૂર્યાં, લાજ બચાવી. પદાર્થ-વ્યક્તિ સાથેનું તાદાત્મ્ય છોડો ખૂબ સરળ અને સારા માણસના જીવનમાં દુઃખદ ઘટના ઘટે તેથી જો તે ભગવાન કામમાં ન આવે તેમ માનીને મૂર્તિ, શાસ્ત્રો દરિયામાં પધરાવે એ શરણાગતિ નથી. ભગવાન મહાવીરે કહ્યું : ‘જગતમાં જે કાંઇ છે, દેખાય છે તે અનિત્ય છે.’ ઉપનિષદે કહ્યું : ‘સર્વમ્ ખલુ ઇદમ્ બ્રહ્મ’ જે કાંઇ છે તે બ્રહ્મ છે. પદાર્થ કે વ્યક્તિને માણસ મૃત્યુ પછી સાથે લઇ જઇ શકતો નથી. પદાર્થ એ જીવન જીવવા માટે ઉપયોગી છે. જન્મ સમયે માણસના રારીર ઉપર સુતરનો તાંતણો પણ હોતો નથી. અને મરતી વખતે કોઇ પણ કિંમતી કપડું કામમાં આવતું નથી. ત્યારે તો સફેદ કફન ઓઢીને જ અંતિમ સફર કરવાની છે. આવું નજરે જોવા છતાં માણસને પદાર્થ અને વ્યક્તિ સાથે તાદાત્મ્ય બુદ્ધિ થઇ છે. માણસ એ જાણી લે કે જેમ લોખંડનો ટૂકડો હાથે થી પકડીને ભઠ્ઠીમાં મૂકી શકાય પણ ભઠ્ઠીમાં એ તપીને અગ્નિમય બની જાય ત્યારે તેને હાથમાં પકડી શકાતો નથી. એ જ રીતે પદાર્થ-વ્યક્તિ અમુક જ હદ સુધી ઉપયોગના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy