SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) ભાગવતો સદેશ તો રહે જ છે. મૂળ વાત તો મન મટે, મનનો લય થાય એમ થવું જોઇએ. કેમ કે મનનો માયા સાથે સંબંધ છે. એ સંબંધ જાય આત્મા સાથે એ સો ટકા જોડાય તો અમન (ઉન્મની) અવસ્થા આવે. એટલે કે વૃત્તિ અને વિકલ્પ વિનાની અવસ્થા મળે. મનમાંની વૃત્તિઓ શાંત થવી જોઈએ વૃત્તિઓને આપણે શાંત કરતા નથી તેને કારણે મન રહે છે. મનનું મટી જવું એટલે વૃત્તિઓનું શાંત થવું, વૃત્તિઓ જવી. જ્યાં સુધી મન રહે છે ત્યાં સુધી તેનો પ્રારંચિક વ્યવહાર નિર્મળ થતો નથી. માણસ સંસાર છોડી સાધુ થાય, વસ્ત્રો બદલે, શહેર છોડી વનમાં જાય તો ત્યાં પણ સાથે (વૃત્તિ સાથેનું) મન હશે તો આખો સંસાર ત્યાં આવશે. શાની ભરતજી કહે છે : 'રાજા, તમે પ્રપંચથી ભાગશો તો પણ સાથે મન હશે તો માયા એ પ્રપંચને પાછો લાવશે. વર્ષો સુધી સાધના કરનારના મનમાં અંદરથી નવા નવા પ્રપંચ આવે છે. જેમ કરોળિયો પોતાની જ લાળમાંથી જાળું ગૂંથે છે, તેમ મન પ્રપંચનો માળો ગૂંથે છે. આખર અવસ્થા આવી હોય, મૃત્યુનજીક હોય, સુરતમાં જ આ સંસારમાંથી વિદાય થવાનું હોય છતાં માણસથી માયાનો સથવારો છૂટતો નથી. મન જંજાળ ઊભી કરે છે માણસે જન્મ પછી બાલ્યાવસ્થા, પછી કુમારાવસ્થા, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થામાં મનવડે જાત-જાતની ઇમારતો રચી હોય છે. એને પરિણામે માયાને માણસમાં કામ કરવાનું મોટું ક્ષેત્ર મળી રહે છે. માણસને કોના તરફ માયા થશે એ નક્કી નહિ. એ જડ પદાર્થ હોય, પશુ હોય કે માણસ હોય. માયા થયા પછી મન જંજાળ ઊભી કરે છે. જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં મન પૂરી શક્તિથી કામ કરે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ ચક્રમાંથી છૂટવા શું કરવું જોઇએ? અહમ્ રહિત જ્ઞાન થવું જોઈએ દશ્ય સાથે દૃષ્ટા એક્તાનો અનુભવ માયાના કારણે કરે છે. દશ્યથી છૂટી અદશ્ય એવા ક્ષેત્રજ્ઞ (ચૈતન્ય-આત્મા) જે અંદર બેઠો છે, જે જાણનારો છે તેનો અનુભવ થાય તો મન મટે અને પ્રપંચથી છૂટાય. એ અનુભવ ધ્યાનથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy