SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૨) ભાગવતનો સંદેશ ચાલતો જ રહે છે. ક્યારેક ક્યારેક ‘સત્ત્વગુણ તો તેનાથી વધુ રજોગુણ’નો પ્રવાહ વહે છે. તેથી પણ વધુ ‘તમોગુણ વહે છે. આ ગુણો સતત વહ્યા જ કરે છે, બદલાયા કરે છે. તેમાંથી રાગ-દ્વેષનો પ્રવાહ વહે છે, તે અત્યંત અગત્યની બાબત છે. મન ઉપર કાબૂ મેળવો માલિકની ગેરહાજરીમાં અને નોકરોના ભરોસે થતાં કામમાં કાંઈ ભલીવાર નથી આવતો. નોકરો સ્વછંદ બની જાય છે. તેમ આત્મારૂપી માલિકની હાજરીમાં જ મન, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અન્ય તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે. આથી મન ઉપર કાબૂ મેળવવા માટે સાધકે સઘન પ્રયાસ કરવો જોઇએ. સદ્ગુરુને પ્રાપ્ત કરી એવી શરણાગતિ સ્વીકારી એમની આજ્ઞાએ તમે ચાલ્યા જાવ તો તમારી | અહંકાર ટળી જશે તે તેમને મોક્ષ મળશે. આ માટે II હું તમારો જમીન છું.” એમ શ્રીમદજી કહે છે. વળી કહે છે: “સદ્ગુરુ પાસે જાવ છો ત્યારે ખુલ્લું હૃદય નથી કરી શકતા. પણ એક્ષરે મશીનની જેમ સદ્ગુરુ આ જોઇ શકે છે. છતાં બોલતા નથી પણ સામી વ્યક્તિને બોલવા દે છે, ખુલ્લી થવા દે છે. આમ છે માટે માયાનો ત્યાગ કરીને જ્ઞાની સદ્ગુરુ પાસે હૃદય પ્રગટ કરવું અત્યંત આવશ્યક છે.” વળી શાંત અવસ્થા રહે તે સાધક માટે જરૂરી છે, કોઇપણ નિમિત્ત મળતાં ઉત્તેજિત થવાય છે. તે ન થવા દેવું અને ગુસ્સાનું શમન કરવું. પરંતુ ગુસ્સો થાય છે તેથી જડ થઇ, મૂળ કયું? વૃક્ષની ડાળાં, પાંદડા, ફૂલ, ફળ દેખાય છે પણ વૃક્ષને ટકાવનાર જડ દેખાતી નથી. એ છે મૂળ જે જમીનમાં છે તેથી દેખાતી નથી. એજ રીતે ગુસ્સાની જડ છે લોભ બહારમાં જ તમારું સૌદર્ય, સંપત્તિ, સત્તા, વૈભવ, માન અને મોટાઇ છે એમ માનીને તેને મેળવવાની ઇચ્છા રાખવી તે લોભ છે. આ લોભરૂપી વૃક્ષનું ઉમૂલન કરવા પ્રભુને, સદ્ગુરુને પ્રાર્થના કરો. | મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy