SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૧૦) પ્રયાસ કર્યો, પણ એ વ્યર્થ નીવડ્યો કેમકે એમને તો આગળના જન્મોમાં ભણેલું જાણેલું બધું જ યાદ હતું. આસક્તિ ક્યાંકથી હુમલો કરી પોતાની મોક્ષ તરફની યાત્રા બગાડી ન નાખે તે માટે તે મૌન હતા, જડ દેખાતા હતા, પાગલ જણાતા હતા, સૌથી અતડા રહેતા હતા. આવી સ્થિતિ હતી ભરતજીની. ભરતજી અકળાતા નહોતા મીરા કહેતી કે : બાઈ અમે ઘેલા થયા, પેલામાં સુખ માન્યું, કોઈ ઘેલું બન્યું તનને ઘેનમાં, કોઇ રૂપ ગર્વમાં બન્યું ઘેલું. અમે ઘેલા બન્યા એક ગોવિંદમાં એમાં અમે સુખ માન્યું. મા પણ ભરતજીને ટાળે, બીજી છોકરાને વહાલા ગણે. તેમને ખાવા ઠંડુ ઓસામણ-દાળ, બળી ગયેલો ભાત, લોઢી ઉપરથી પરાણે ઉખાડેલી રોટલી એવું ખાવા આપે, છતાં ભરતજી બોલતા નથી પણ ચૂપચાપ ખાઈ લે છે. છતાં ઘરનાં બધાં તેમને કહે છે કે ખાઈ-પીને શરીર વધાર્યું છે. પિતાને ખેતી હતી, શિયાળાની રાતે ખેતરમાં પાણી પાવાનું હોય તો ભરતજીને મોકલતા. એમ માનતા કે આમને કયાં ઠંડી લાગે છે? આવું બનતું છતાં ભરતજી ક્યારે પણ અકળાયા નહોતા. ભરતજી પ્રભુસ્મરણ કરતા રહે છે ભરતજીને જરાક આસક્તિના કારણે સંસારમાં ફરીથી આવવું પડ્યું. તત્ત્વ ચિંતકોએ આસક્તિની નિંદા નથી કરી પણ તેનું પરિવર્તન કરવાનું કહ્યું છે. સંસાર તરફની આસક્તિને પ્રભુમાં વાળવાની કહી છે. આવી આસક્તિ મોક્ષનું કારણ છે. આ સમજણ ભરતજીમાં આવી ગઈ હતી અને ત્યારથી જ તેમની સાધનાની શરૂઆત થઈ ગઈ હતી. કુટુંબીજનો ઘરમાં તેમનો અનાદર, તિરસ્કાર કરે છે. એક ભિખારીને આપે એ રીતે તેમને ખાવા આપે છે. છતાં ભરતજી વિચલિત થતા નથી, અકળાતા નથી. પણ સતત ભક્તિ કરતા રહે છે. પ્રભુ સ્મરણ કરતા રહે છે. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy