SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ - આ પુસ્તક વિષે) સન ૨૦૦૬ના જુન માસમાં એક દિવસ પ.પૂ. ગુરુજીએ કહ્યું: ‘આ વર્ષે ચાતુર્માસ જ્ઞાનયજ્ઞમાં ‘ભાગવતનો સંદેશ’ એ વિષય ઉપર પ્રવચનો થશે.” એ સાંભળી સૌ મુમુક્ષુ ભાઈ-બહેનોના હૃદય આનંદથી ઝૂમી ઊઠયા. કેમ કે પૂ. ગુરુજીએ સન ૧૯૯૬ના ચાતુર્માસમાં દરરોજ અને એ પછી દર રવિવારે સાંજે ૬-૦૦ થી ૭-૦૦ વાગ્યા સુધી રામાયણને ૧૦૦ કલાકના પ્રવચનમાં કહીને શ્રોતાઓને ડોલાવી દીધા હતા. એ પ્રવચનોમાંથી એ નામનું પુસ્તક (ભાગ૧) પણ જુલાઈ ૧૯૯૮માં પ્રગટ થયેલું. તેનો લાભ ઘણા મુમુક્ષુ ભાઈબહેનોએ ખૂબ આનંદથી લીધો હતો. એ સ્મૃતિ સૌની તાજી થઇ. પરિણામે ‘ભાગવતનો સંદેશ’ એ વિષય ઉપર ૫.પૂ. ગુરજીએ તા. ૭ – ૭-૦૬થી તા.૬-૮-૦૬ સુધી ચાતુર્માસ જ્ઞાનયજ્ઞમાં રોજ સાંજે અને ત્યાર પછી તા.૧૩-૮-૦ થી તા. ૨૧-૭-૦૭ સુધી દર રવિવારે તેમની રસાળ શૈલીમાં ભક્તિ રસ અને તત્ત્વજ્ઞાનથી મુમુક્ષુઓનાં મન ડોલી ઊઠયા હતા. આ પ્રવચનો પુસ્તક સ્વરૂપે પ્રગટ થવું જોઇએ તેવો તેમનો પ્રેમાગ્રહ પણ હતો. પૂ. ગુરુજી બોલતા ગયા હું લખતો ગયો અને એ દરેક પ્રકરણ પાટણના અગ્રગણ્યદૈનિક હમલોગમાં તા. ૨-૮-૧૭ થી તા.૫- ૨ -૦૯ સુધી ૫૬ પ્રકરણોમાં દર ગુરુવારે છપાયું. જેનો લાભ અનેક મુમુક્ષુઓએ લીધો હતો. તેના સુંદર પ્રતિભાવો પણ સાંપડયા હતા. આ લખાયું તેના શ્રેયનો મોટો ફાળો મારા બે યુવાન મિત્રો શ્રી નટુભાઇ. પ્રજાપતિ જેમણે મને સતત પ્રોત્સાહિત કર્યો હતો અને શ્રી વિનોદભાઈ પરડવા જેઓએ જરૂર પડી ત્યારે કેસેટમાંથી આ પ્રવચન લખી આપ્યાં હતાં. એ બન્નેનો હું અહીં આભાર માનું છું. પ.પૂ. સાધ્વીજી પ્રિયદર્શના શ્રીજી મ.સા.એ આ પુસ્તકની પ્રતને ઝીણવટથી વાંચીને તેનું પરિમાર્જન કરી, સુધારી આપી ભૂલ વગરનું બનાવી આપ્યું તેમનો ઉપકાર માનું તેટલો ઓછો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy