SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૧૧૫) આસક્તિ કાઢવાનું બળવાન સાધન અર્જુનને બતાવતાં કહે છે : ‘અર્જુન પ્રત્યેક કર્મ કરતાં કરતાં મારું સ્મરણ કર.' કેવી અદ્દભુત વાત થઇ. જીવનની પ્રત્યેક પળે જો પરમાત્મ ચિંતન થાય તો આસક્તિ ન સતાવી શકે. આસક્તિમાં જ દેહ છૂટવાથી ભરતજીને હરણનું શરીર મળ્યું. જીવનભર પરમાત્માનું સ્મરણ કર્યું હોય પણ મરતી વખતે એ ચૂકાઇ જવાય તો દુર્ગતિમાં જવાય. એક નાનકડી ભૂલનું આવું ગંભીર પરિણામ આવે છે. પુણ્યના કારણે જાતિ સ્મરણ રહ્યું પણ જો આજ આસક્તિ પરમાત્મા પ્રત્યે થાય, આત્મજ્ઞાની પુરુષ સાથે થાય તો ભવ પાર થવાય. કેમ કે પરમાત્મા તરફની આસક્તિ એ ભક્તિનો, અનુરાગનો કાચો માલ છે. માણસને કર્યતંત્રના નિયમ પ્રમાણે જ શરીર મળે છે. અંતિમ ક્ષણે જેવું વિચારાયું હશે, જેવું જીવાયું હશે તેવો દેહ મળે છે. આ નિયમ પ્રમાણે ભરત રાજાને હરણનું શરીર મળ્યું. આમ આસક્તિમાં એમણે ઘણું ખોયું પણ તેમને જાતિ સ્મરણ જ્ઞાન રહ્યું. ભરતજીને સમજાયેલી ભૂલ એ હરણ એકાંતમાં બેસીને વિચારે છે કેવું આશ્ચર્ય છે કે ભારે ધીરજથી, બધા પ્રકારની આસક્તિ છોડી, મારું મન મેવાસુદેવમાં જોયું હતું. પણ ઓચિંતુ જ આ હરણ બચ્ચું સામે આવ્યું અને તેની તરફ મારી આસક્તિ થઈ ગઈ. આ વિચાર દઢ થતાં જ તેઓ હરણના ટોળામાંથી દૂર ગયા અને પૂલક ઋષિના આશ્રમ તરફ ગયા. ત્યાં ઋષિઓ ધ્યાન, સ્વાધ્યાય કરતા તે જોતા અને શ્રવણ કરતા. પોતાની ભૂલ પોતાને સમજાય તે જ્ઞાન છે અને ન સમજાય એ અજ્ઞાન છે. ભરતજીનો-હરણનો-પશ્ચાતાપ જીવહિંસા ન થાય તે માટે એ હરણ સૂકા પાંદડાં, સૂકું ઘાસ જ ખાય છે. ઋષિ મુનિઓના વચનો સાંભળી તલ્લીન થઈ જાય છે. એમને એ પણ વિચાર આવે છે કે પૂર્વે મોટો ત્યાગ કર્યો હતો તે એક નાનકડી ભૂલને કારણે એળે ગયો. એમને પશ્ચાતાપ, વ્યથા, વેદના થાય છે. પરંતુ આ શરીર તો કર્યતંત્રના નિયમ પ્રમાણે જેટલો કાળ રહેવાનું હશે તેટલો કાળ રહેશે જ. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy