SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ (૧૦૦) ભરતે બાહુબલિ સિવાયના ૯૮ ભાઇઓને સમાચાર મોકલ્યા કે તમે મારી આજ્ઞામાં રહો અથવા યુદ્ધ કરવા તૈયાર થાવ. ૯૮ ભાઇઓને થયું કે અમને રાજ્ય તો પિતાશ્રીએ આપ્યું છે, અમારે શું કરવું? ભરત સાથે યુદ્ધ કરવું કે એમની આજ્ઞામાં રહેવું. તેઓ આદિનાથ ભગવાન પાસે ગયા. ને પૂછ્યું કે અમારે શું કરવું? ભગવાને કહ્યું કે જો તમારે યુદ્ધ કરવું હોય તો અંતરંગ કામ, ક્રોધ આદિ શત્રુઓ સાથે યુદ્ધ કરી તેના ઉપર વિજય મેળવીને તમારી અંતરંગ રાજ્ય લક્ષ્મીને ભોગવો. આવા ઉપદેશના પરિણામે અઠ્ઠાણું પુત્રો જે યુદ્ધના વિચારમાં રમતા હતા તેઓ ત્યાંથી વળીને સાધનાના પંથે વળ્યા. ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધના કરી મોક્ષ મેળવ્યો. અજ્ઞાનને કારણે અટવાતો માણસ માણસમાં આત્માને જાણવાની જિજ્ઞાસા જાગતી નથી ત્યાં સુધી તેનામાં અજ્ઞાન જ રહે છે. તેથી તે પોતાના મૂળ સ્વરૂપ વિશે કાંઈ જાણી શક્તો નથી. એ તેના દુઃખનું મૂળ કારણ છે. કેમ કે અજ્ઞાનના કારણે તે વિકારો, અશુભ વિચારો અને દુષ્કર્મથી ધેરાયેલો રહે છે. તેના ઉપર કષાયો સવાર થયેલા જ રહે છે તેથી તે ભોગ-વિલાસ કરવા જ આ જગતમાં આવ્યો છે તેવું માને છે. અવિદ્યા આત્મ સ્વરૂપને ઢાંકે છે રમણ મહર્ષિએ જીવ્યા ત્યાં સુધી એક જ વાત કહ્યા કરી કે: ‘હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું એનો વિચાર કરીને એ વાત જાણો.’ માણસ જયાં સુધી આત્મકર્મનથી જાણતો ત્યાં સુધી લૌકિક કર્મમાં અટવાયેલો રહે છે. એ કર્મ છે આહાર, નિદ્રા, ભય, મૈથુન વગેરે. તે ઉપરાંત ધર્મના નામે કર્મકાંડ જે કાંઇ કરે છે તેનાથી તેનામાં રહેલી વાસનામાં ઉમેરો થાય છે, કર્મનું નવું બંધન ઊભું થાય છે. કર્મ સાંકળથી એ જકડાતો જાય છે. આ છે અવિદ્યા, જેનાથી આત્મ સ્વરૂપ ઢંકાઇ જાય છે. આત્મા હાજર છે જેમ વીજળીના ગોળા ઉપર કપડું લપેટો તો પ્રકાશ બહાર રેલાતો નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy