SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) જાગૃત રહીને જ જીવો જાગૃત રહો અંધારું ધોર હતું, વગડાની વાત હતી. રસ્તો દેખાતો ન હતો. સામેથી ફાનસ લઇ એક ભાઈ આવ્યા. તેમને રસ્તો પૂછ્યો. એ કહે : “આગળ જતાં આ ટેકરીની બંને બાજુ ખીણ આવેલી છે, વચ્ચે છે એક માઈલ (દોઢ કિલો મીટર) લાંબી સાંકડી પગથી. તેના ઉપરથી તમારે પસાર થવાનું છે. જરાક ચૂકો, પગ આડી-અવળો પડશે તો ઊંડી ખીણમાં પડશો અને મરશો. અને નહિ ચૂકો તો આગળ મોટો પહોળો રસ્તો આવશે. અને જોડે ગામ આવશે. હવે કહો રાત્રિના આ અંધકારમાં એ પગથી ઉપર કેવી રીતે ચાલવું જોઈએ? પૂર્ણ જાગૃતિથી ચલાયતોજ બચી શકાય. એવી જ રીતે ઘણા જન્મોના પુણ્યના કારણે માનવ શરીર મળે ત્યારે જાગૃતિપૂર્વક જીવન જીવી, વિષયોપભોગવિનાનું સંયમી જીવન જીવી, આત્મજ્ઞાની સંતના શરણે જઈ, તેમના માર્ગદર્શન પ્રમાણે સાધના કરીને બ્રહ્માનંદ પ્રાપ્ત કરી મોક્ષ મેળવવાનો પુરુષાર્થ જ કરવાનો હોય. વાસના સાથે રમતો માણસ ગળામાં પહેરેલો હાર કરોડો રૂપિયાનો હોઈ શકે પણ જેણે એ હાર પહેર્યો છે તે માનવ દેહની કિંમત આંકી શકાય તેવી નથી. આ માનવ દેહથી જ આત્મોપાસના થઈ શકે, બ્રહ્મ દર્શન થઈ શકે, ફેર જન્મ ન લેવો પડે તેવી મોક્ષ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. ઝાષભદેવ જેમને ભગવાન આદિનાથ પણ કહેવાય છે તેમને સો પુત્રો હતા. સો પુત્રોને જુદા જુદા રાજ્યો આપી તેઓ સંયમ માર્ગ ગ્રહણ કર્યો. મોટા પુત્ર ભરતને આયુદ્ધ શાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. તેના બળે તેણે ભરત ક્ષેત્રના છ ખંડ જીત્યા, છતાં ચકરત્ન આયુધ શાળામાં પ્રવેશ ન કર્યો. સેનાપતિએ કહ્યું કે તમારા નવાણુ ભાઇઓ ઉપર તમે વિજ્ય નથી મેળવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy