SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અવેરનેસ પ્રાપ્ત કરો બોધથી મોહ જાય મોહ જાય તો દષ્ટિ બદલાય, પ્રકૃતિ અને પુરુષ, શરીર અને આત્મા જુદા દેખાય. તેથી આસક્તિ-મમત્વ જાય અને જેમ નારિયેળની કાચલીથી ગોળો જુદો તેમ શરીરથી આત્મા જુદો દેખાય. જ્ઞાન પ્રાપ્તિ બાદ દેવહુતિનો મોહ ગયો છે. તે કારણે દેવહુતિને કપિલજી દીકરો નહિ ઉદ્ધારક પુરુષ દેખાય છે. તેઓ કહે છે: કપિલજી, તમારી કૃપાથી મને મહામૂલ્યવાન સિદ્ધિ મળી છે, મોહ શૂન્ય અવસ્થા મળી છે. મારું સ્થૂળ શરીર જશે અને અંદરનું કારણ શરીર પણ જશે, હવે મારે ફેર નવો જન્મ નથી લેવો.’ મોહનથી તો જન્મ નથી કપિલજી કહે છે: 'મા, મેં તમને જે સુગમ, સરળ બોધ આપ્યો છે તેનું અવલંબન કરવાથી તમને અવશ્ય મોક્ષ મળવાનો. મેં તમને કહેલા પ્રત્યેક શબ્દમાં તમે પરમ વિશ્વાસ રાખ્યો છે. તેથી તમારે હવે કોઇની મા નહિ બનવું પડે. તમારે કોઇના દીકરા બનવું નહિ પડે. તમે જન્મ, જરા, મૃત્યુ નહિ એવી અવસ્થા પ્રાપ્ત કરી છે. હે, મા! નારદજીને અને અનેક સંતોને મેં આ જ વાતો કહી છે. તમે એકાગ્રતા, સમતા, પ્રસન્નતા, કરુણા, ધ્યાન અને ભક્તિને લૂંટ્યા છે. ધોર તપ કર્યા પછી જ પિતા કર્દમજીનું કલ્યાણ થયું પણ, તમને તો સુગમ બોધથી જ એ મળ્યું.' આટલું કહી કપિલજી મૌન થઈ ગયા. જ્ઞાન અને જ્ઞાની પાસે મોહ રહી શકતો નથી કપિલજી ઊભા થયા, મા દેવહુતિને વંદન કરીને બોલ્યા: “મા, મને હવે રજા આપો. મારા પિતા કર્દમજી જ્યાં ગયા છે ત્યાં જઈ હું તપ કરવા ઇચ્છું છું.” ભગવદ્ગીતા પૂરી થતાં અર્જુનનો મોહ ગયો. અને મોહના સાથીદારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy