SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ભાગવતો સંદેશ ત્રિજોરી બનાવનારના કારખાનામાં તો બહાર જ હતી. તે ખરીદી લેનારે ઘરના ઓરડામાં મૂકી તેમાં સોનું-ચાંદી, દાગીના અને ઝવેરાત મૂક્યા. ત્રિજોરી બંધ કરી ચાવીથી કળો વાસી, એ રૂમને પણ તાળું માર્યું. આમ એટલે કર્યું કે અંદર જે માલ છે તેને સાચવવાનો છે. એ જ રીતે દેહ અને આત્માનો ફરક સમજીને પડોશી સાથે રહેતા હોવ તે રીતે તમે તમારા શરીરમાં રહો. હવે નવો જન્મ ન લેવો પડે એ રીતે આજીવશે - તલવાર અને મ્યાન જુદાં છે, તેમ શરીર અને આત્મા જુદાં છે તેવું સ્પષ્ટ દેખાયા પછી શરીરમાં ભાગ્ય પ્રમાણે જેટલો સમય રહેવાનું હશે એટલો સમય રહેવાશે પણ મોહ વગર, આસક્તિ વગર. હવે આ માણસ સદાચારથી જ જીવશે. નારિયેળની કાચલીથી ગોળો જુદો તેમ શરીરથી પોતે (આત્મા) જુદો છે એ રીતે આ જીવશે. તેને હવે નવો જન્મ ન લેવો પડે એ રીતે જીવશે. ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ સાધના જી કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આવી ક્ષણ આપવા માટે વર્ષોની સાધના જોઇએ. એવી ઘટના ઘટે તો છે. જીવન પ્રશ્નાતીતી બને, સારું જીવન પરિવર્તન થઇ જાય. આ વાસ્તવિક સમાધિ છે. હઠયોગ જ્ઞાનયોગની સમાધિ એ બન્નેને ભેગાં કરો તો પણ આની તોલે ન આવે. એવી આ પરમસમાધિ છે. જ્યાં પ્રશ્ન નથી, દુઃખ કે આનંદ નથી તેવી છે એ. પ્રજ્ઞાને સ્વાનુભૂતિ થાય તે આત્મા સાક્ષાત્કાર કહેવાય. તે પ્રાપ્રત કરવાના વિવિધ ઉપાયોગ છે. “પ્રાણીઓની રક્ષા” - “પ્રાણીઓની રક્ષા નથી કરી માટે જીવનમાં વિસંવાદ છે, વિખવાદ અને વેર ઝેર છે. કલેશને કંકાસ છે. હે પ્રભુ, અમારી આ માગણી છે કે જીવસૃષ્ટિ સાથે અમને તાલમેલ થાય. અનુભવનો એ પ્રેમ મળે અને આનંદ અનુભવાય.’ તીર્થકરોમાં અવતારી પુરુષોમાં આ સંગીત ગૂંજી ઉઠયું. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy