________________
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન ૧૨૯
આત્મતત્ત્વનું ભાન ન થવું. એના સમાન બીજો કોઈ રોગ નથી. સદ્દગુરુ જેવા કોઈ સારા જ્ઞાની વૈદ્ય નથી. | ગુરુની આજ્ઞા પાળવા સમાન કોઈ પથ્ય નથી. અને ઉત્તમ વિચારીપૂર્વકના ધ્યાન સમાન કોઈ ઔષધ નથી. ૧૨૯ો.
અનાદિ કાળથી આ આત્માને મોહની વાસનાના જોરે આત્મતત્વનું સાચું ભાન થયું નથી. સગુરુજી પુણ્યોદયથી મળ્યા. તેમણે આત્મતત્વનું ભાન કરાવ્યું; તેથી
(૧) આત્માની ભ્રાન્તિ જેવો કોઈ રોગ નથી ! (૨) ઉત્તમ જ્ઞાની ગુરુ જેવા કોઈ વૈદ્ય નથી. (૩) ગુરુજીની આજ્ઞા પાળવા જેવું સાચું કોઈ પથ્ય (હિતકારક ભાતું) નથી. (૪) ઉત્તમ વિચારો સ્વરૂપ ધ્યાન જેવું કોઈ ઔષધ નથી. આ પ્રમાણે દૃષ્ટાંત આપીને સગુરુને અસીમ ઉપકાર છે. એમ સમજાવે છે. / ૧૨૯ ..
જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ 1. ભવસ્થિતિ આદિનામ લઈ, છેદો નહિઆત્માર્થ ૧૩O
જો પરમાર્થને (મોક્ષસાધ્યને) ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ ન તજો | ભવસ્થિતિ વિગેરેનાં બાનાં કાઢી સાચો આત્માર્થ છેદો નહિ. I૧૩૦
જો અનાદિ કાળથી આત્માને વળગેલ આ સંસાર તજવો જ હોય, સંસારનાં દુઃખ-સુખો અસાર લાગતાં હોય, અને આત્માના કલ્યાણનો સાચો માર્ગ (મોક્ષ પુરુષાર્થ) મોળવવો જ હોય તો મોહની માયા છોડી સાચો પુરુષાર્થ કરો.
૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org