SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અમે શું કરીએ? અમારે ઘણું જ્ઞાન મેળવવું છે. ચારિત્ર સ્વીકારવું છે. પરંતુ શું થાય ? અમારી ભાવસ્થિતિ હજુ પાકી નથી. કલ્યાણ નજીકમાં હોય એવું દેખાતું નથી. ઈત્યાદિ બાનાં કાઢીને આત્માના મોક્ષ પ્રત્યેના સાચા પુરુષાર્થને છેદવો જોઈએ નહિ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો ય નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય ૧૩૧II ઉપર મુજબ નિશ્ચયનયની વાણી સાંભળી પ્રભુસેવા સ્વાધ્યાય વૈયાવચ્ચ, આદિ સાધનો ત્યજવાં નહિ પરંતુ મનમાં નિશ્ચય રાખીને તે જ સાધનો અપનાવવાં. ૧૩ના - ઉપરોક્ત નિશ્ચયર્દષ્ટિ સાંભળી ઘણી વખત મનાં એવો વિચાર આવે કે એકલું આત્માનું જ રટણ કર્યા કરીએ બાહ્ય ધર્માનુષ્ઠાનો (ક્રિયાઓ) કરવાની શું જરૂર છે? તેને ઠપકો આપતાં ગ્રંથકાર કહે છે કે નિશ્ચયદષ્ટિની વાત સાંભળવા છતાં તેના ઉપાયરૂપ જે જે ધર્માનુષ્ઠાનો =સાધનો છે. તેને ત્યજવાં નહિ. કારણ કે સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. માટે હૃદયમાં જ્યાં જવાનું હોય તે ગામનું લક્ષ્ય રાખી જેમ ગાડી ચલાવાય છે. તે જ પ્રમાણે અહીં પણ હૃદયમાં નિશ્ચયદષ્ટિ રાખીને સાધનોનો ઉપયોગ કરી સાધ્ય મેળવવા પ્રયત્ન કરવો આ જ વાતને સમજાવતાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે : નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરી, પાલે જે વ્યવહારો પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર રે . સાડા ત્રણસો ગાથાનું સ્તવન ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલા એકાંતે વ્યવહાર નહિ, બંને સાથે રહેલ ૧૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004650
Book TitleAtmasiddhi Shastra
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorDhirajlal D Mehta
PublisherInstitute of Indology Ahmedabad
Publication Year1992
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy