SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૮૭ અવિદ્યમાનતા ઉભયસ્થળે સમાન છે. વસ્તુતઃ સ્વતઃ વિદ્યમાન એવી પ્રદેશની અંગુલી અનન્તધર્માત્મક હોવાથી તે તે સહકારી કારણોની સમીપે, તે તે રૂપે જણાતી હોવાથી તે તે પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, પણ સર્વથા અવિદ્યમાન અંગુલીમાં અપેક્ષામાત્રથી જ હ્રસ્વ-દીર્વાદિજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નહી. એ પ્રમાણે દીર્ઘ ઉભયાદિમાં પણ આ દીર્ઘ, આ ઉભય ઈત્યાદિ સ્વપર ઉભય બુદ્ધિ બીજાના મતની અપેક્ષાએ કરું છું. પણ મારી માન્યતા પ્રમાણે તો સ્વતઃ સિદ્ધ એવા સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરનાર હ્રસ્વ-દીર્ઘ આદિ કંઈ જ નથી. એટલે મારી માન્યતામાં પૂર્વાપર વિરોધ કોઈ પણ રીતે નથી આવતો, એમ જો તું કહેતો હોય, તો સર્વ-શૂન્યતામાં આ સ્વમત છે અને આ પરમત છે એવો સ્વ-પરભાવનો તફાવત પણ ક્યાંથી થાય ? નજ થાય. અને જો સ્વ-પરભાવ માનતો હો, તો શૂન્યતાનો અભાવ થશે. ૧૭૦૫ થી ૧૭૦૯. जुगवं कमेण वा ते विण्णाणं होज्ज दीह-हस्सेसु । जइ जुगवं काऽवेक्खा कमेण पुबम्मि काऽवेक्खा ? ॥१७१०।। आइमविण्णाणं वा जं बालस्सेह तस्स काऽवेक्खा ? । तुल्लेसु व काऽवेक्खा परोप्परं लोयणदुगे ब्ब ? ॥१७११॥ किं हस्साओ दीहे दीहाओ चेव किं न दीहम्मि ? । कीस व न खपुप्फाउ किं न खपुष्फे खपुष्फाओ ? ॥१७१२।। (વળી) દીર્ઘ અને સ્વ પદાર્થમાં તે તે રૂપે જણાતું જ્ઞાન, એકજ કાળે થાય છે, કે અનુક્રમે થાય છે? જો એકજ કાળે થતું હોય, તો કોને કોની અપેક્ષા રહી ? અને અનુક્રમે થતું હોય તો પ્રથમ જ્ઞાનમાં કઈ અપેક્ષા છે? અથવા બાળકને જન્મ પછી તરત જ જે પ્રથમ વિજ્ઞાન થાય છે, તેમાં તેને કઈ અપેક્ષા છે ? અથવા બે આંખની જેમ તુલ્ય પદાર્થમાં પરસ્પર કોને કોની અપેક્ષા હોય? તેમજ હ્રસ્વથી દીર્ઘમાં દીર્ઘતાનું જ્ઞાન કેમ થાય છે? અને દીર્ઘથી દીર્ઘમાં કે હૃસ્વથી હૃસ્વમાં કેમ જ્ઞાન થતું નથી ? તથા આકાશપુષ્પથી હ્રસ્વ-દીર્થમાં અને આકાશપુષ્પથી (આકાશપુષ્પમાં) તે તે રૂપે જ્ઞાન કેમ નથી થતું? ૧૭૧૦ થી ૧૭૧૨. વ્યક્ત ! હ્રસ્વ-દીર્ઘ પદાર્થમાં તે તે આકારે જણાતું જ્ઞાન જે થાય છે, તે જ્ઞાન એક જ કાળે થાય છે, કે અનુક્રમે થાય છે? જો એક જ કાળે થતું હોય, તો તે બન્ને એકી સાથે સ્વપ્રતિભાતિજ્ઞાનમાં જણાતા હોવાથી, કોને કોની અપેક્ષા રહી ? અને જો અનુક્રમે તેવું જ્ઞાન થતું હોય, તો પ્રથમ સ્વપ્રતિભાસિ જ્ઞાનવડે હૂસ્વાદિ પદાર્થનું ગ્રહણ થવાથી ઉત્તરકાળમાં દીર્ધાદિ પદાર્થને ગ્રહણ કરવામાં કઈ અપેક્ષા છે?, કોઈ નહી. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે. ચક્ષુ આદિ સામગ્રીના સભાવમાં બીજાની અપેક્ષા વિના સર્વ પદાર્થો પોતપોતાના જુદા જુદારૂપે સ્વપ્રતિભાણિજ્ઞાનમાં જણાય છે, એટલે સર્વ પદાર્થોની સિદ્ધિ સ્વભાવથીજ છે. અથવા તરતના જન્મેલા બાળકને જન્મ પછી તરત જે પ્રથમ વિજ્ઞાન થાય છે, તે જ્ઞાન કઈ અપેક્ષાએ થાય છે? વળી હૃસ્વમાં નહિ, તેમ દીર્થમાં નહિ, પરંતુ ચક્ષુયુગલની જેમ પરસ્પર તુલ્ય વસ્તુમાં એકીકાળે તે બન્નેને તુલ્યરૂપે ગ્રહણ કરનાર સ્વપ્રતિભારિ જ્ઞાન કરવામાં પરસ્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy