________________
૫૫૪] તરસ મંતે પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અથવા આ મત્ત શબ્દ સામાયિકક્રિયાના પ્રત્યર્પણ વચનરૂપ છે. આથી સર્વ ક્રિયાના અને ગુરૂને પ્રત્યર્પણ કરવાનું નિવેદન કરવાનું) કહેલું છે. ૩૫૬૩ થી ૩૫૭૧.
વિવેચન - શિષ્ય - ભગવાન ! સૂત્રમાં ત્રિવિધ ઘેિન એમ જે કહ્યું છે, તે યુક્ત નથી; म मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेतंपि अन्नं न समणु-जाणामि मे १२५ પદના નિર્દેશવડે ઉપરોક્ત પદાર્થ સિદ્ધ થાય છે.
આચાર્ય - અર્થભેદ બતાવવાથી અથવા ગુણભાવનાથી એ પદ કહેવામાં કંઈ દોષ નથી, એથી પદાર્થમાત્રની સામાન્યવિશેષરૂપતા બતાવેલી છે. તિથિ તિવિ એ પદ કહેવાવડે વસ્તુની સામાન્યરૂપતા બતાવી છે. અને મનેvi વાયાઈત્યાદિ પદો વડે વસ્તુની વિશેષરૂપતા બતાવી છે. વળી પુનઃ એવા પદો કહેવાથી સામાયિકગુણની ભાવના નિબીડવાસના આત્માની અંદર આરોપિત કરી છે. માટે ધિં ત્રિવિધેન પદ નિરર્થક નથી.
અથવા મvf વાવ, ઈત્યાદિ માત્ર જ કહ્યું હોય તો “મનવડે ન કરૂં, વચનવડે ન કરાવું અને કાયાવડે ન અનુમોદું.” એવો અનિષ્ટક્રમવાળો સંબંધ થાય, એટલા માટે શિવ ત્રિોન પદ કહ્યું છે. કેમકે મનવડે ન કરુ, ન કરાવું અને ન અનુમોદું. એ જ પ્રમાણે વચન અને કાયાની સાથે પણ યોગત્રયનો સંબંધ માનેલો છે. તે સંબંધ જો ત્રિવિધ ત્રિનિ પદ ન કહ્યું હોય તો ન ઘટે, માટે એ પદ કહ્યું છે.
અથવા સંતૃપ ૩ન્ને ન સમજીગામ એમાંના જ શબ્દથી પૂર્વે ત્રિકાળવિષયી જ્ઞય કહ્યું હતું, અહીં તે અર્થવિકલ્પનાવડે વિશેષ પ્રકારે યોર્યું, એટલે કે ભૂતકાળમાં કરેલ-કરાવેલ અને અનુમોદેલ હોય, તેની અનુમતિનું હમણાં પ્રત્યાખ્યાન કરાય છે, પણ કરવા-કરાવવાનું નહિ. બાકીના બે કાળમાં એટલે વર્તમાન અને ભવિષ્યકાળમાં કરવા, કરાવવા અને અનુમોદના સંબંધી પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે. એથી એ અવિરૂદ્ધ હોવાથી તેનો અટકાવ કરી શકાય એમ નથી. આ પ્રમાણે જ શબ્દનો અર્થ બતાવવાને માટે ત્રિાં ત્રિવિદે પદ મૂકવું જોઇએ.
મને પદની વ્યાખ્યા પૂર્વે કરેલી છે, તેથી ફરી તેની વ્યાખ્યા અહીં નથી કરતા.
શિષ્યઃ- જો મને પદ પૂર્વે કહેલું છે, તો પછી પુનઃ સૂત્રકારે અહીં શા માટે કહ્યું? અન્યત્ર કહેલું છે કે “૩ાવ પ્રયુોડર્થક સર્વથાનુવર્તત” એટલે આદિમાં પ્રયોજેલા અર્થની સર્વત્ર-સૂત્રની અન્તપર્યન્ત અનુવૃત્તિ થાય છે.
આચાર્ય - તારું કહેવું સત્ય છે, સૂત્રની અન્તપર્યન્ત અનુવૃત્તિ માટે જ આદિમાં મત્તે શબ્દનું ગ્રહણ કર્યું છે, અનુવર્તનમાત્રથી જ અધિકૃત વિધિઓની અનુવૃત્તિ નથી થતી; પરંતુ યત્ન કરવાથી થાય છે. આ સ્થળે મત્તે શબ્દનું પુનઃ ઉચ્ચારણ તેના અનુસ્મરણ માટે છે.
અથવા જેની સામાયિક-પ્રતિપત્તિની ક્રિયા સમાપ્ત થઈ હોય એવા શિષ્ય સામાયિકની વિશુદ્ધિ માટે સામાયિકના અતિચારોની નિવર્તનાદિરૂપ નિન્દા-ગોંદિ ક્રિયાન્તરની અભિમુખ થયો છતો પુનઃ મત્તે શબ્દનો ઉચ્ચાર કરે છે. કારણ કે આ જ ગ્રંથમાં પૂર્વે કહ્યું છે, કે “શિષ્યએ સર્વ આવશ્યકો ગુરૂને પૂછીને કરવા-” તદનુસાર ભદન્ત શબ્દનું પુનઃ ઉચ્ચારણ કરવાથી એ જ વાતનું અહીં સમર્થન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org