SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નમસ્કારના સ્વામિત્વનો વિચાર. [૪૩૫ સંગ્રહનય સામાન્યમાત્રગ્રાહી હોવાથી જીવનો નમસ્કાર-અજીવનો નમસ્કાર ઇત્યાદિ વિશેષણરહિત સત્તામાત્રરૂપે નમસ્કારને માને છે, કારણ કે જીવનો યા અજીવનો, સ્વનો કે પરનો નમસ્કાર ઇત્યાદિ વિશેષણોવડે આ નય નમસ્કારનો ભેદ નથી માનતો પણ સત્તા-સામાન્યરૂપે એક જ માને છે. - અહીં કદાચ એમ પૂછવામાં આવે કે નમ: શબ્દ રૂપ નમસ્કારનો સ્વસ્વરૂપે આધારાદિના ભેદે આ નય ભેદ માને છે કે નહિ? એના ઉત્તરમાં કહેવાનું કે નમરકાર સામાન્ય માત્રના આધારાદિ ભેદમાં પણ આ નય સર્વકાળ ભેદ નથી માનતો, સામાન્ય માત્રગ્રાહિ હોવાથી સર્વત્ર એક જ માને છે. અથવા “જીવનો નમસ્કાર” એ પ્રમાણે છઠ્ઠી વિભક્તિવડે જે ભેદ કહ્યો છે તેવો ભેદ આ નય મૂળથી જ સર્વથા નથી માનતો, એટલે જીવનો નમસ્કાર કે અજીવનો નમસ્કાર, એવો સ્વામિત્વનો વિચાર તો ક્યાંથી થઇ શકે? કારણ કે “જીવ એ જ નમસ્કાર છે એ પ્રમાણે સમાન અધિકરણતાને જ (એક વિભક્તિને) આ નય માને છે, પણ “જીવનો નમસ્કાર” એવું ભિન્ન અધિકરણ (ાદી વિભક્તિ) નથી માનતો. અથવા અશુદ્ધતર સંગ્રહનય પૂર્વોક્ત આઠ ભાંગામાંથી પહેલો ભાંગો માને છે. એટલે કે જીવ સામાન્યનો નમસ્કાર છે. એમ આ નય માને છે. બાકીના સાત ભાંગા નથી માનતો. ૨૮૮૦. હવે ઋજુસૂત્રના અભિપ્રાયે નમસ્કારનું સ્વામિત્વ વિચારે છે. उज्जुसुयमयं नाणं सद्दो किरिया च जं नमोक्कारो । હોબ્ધ ન સહ સો કુત્તો તરન્નર |ર૮૮શી नाणं जीवाणन्नं तं कहमत्थंतररस पुज्जस्स । નવરા રોડ વિઠ્ઠ વા પડમા નવરદિયા? .ર૮૮રો एवं सद्दो किरिया य सद्द-किरियावओ जओ धम्मो । ન ચ ઘમો વધ્વંતરરવારો તો જ પુનરરા ર૮૮રૂા एवं च कयविणासा-उकयागमे-गत्त-संगराईया । ૩નર નમવારે સો વદવો પસંન્નતિ શારદા जड़ सामिभावओ होज्ज पूअणिज्जस्स सो तो को दोसो ? । अत्यंतरभूयस्स वि जह गावो देवदत्तस्स ॥२८८५॥ अस्सेदं ववएसो हवेज्ज दबम्मि न उ गुणे जुत्तो । પડયરના સુમાવો મન્ન ન દિ દેવદત્તર ૨૮૮૬ો. ઋજુસૂત્રનયનો મત એવો છે કે જે નમસ્કાર છે, તે ઉપયોગાત્મક જ્ઞાનરૂપ અરિહંતોને નમસ્કાર થાઓ ઈત્યાદિ શબ્દરૂપ, અથવા શિરોનમનાદિ ક્રિયારૂપ છે; તેથી તે નમસ્કાર તેના કર્યા સિવાય બીજાનો કોઈ પણ રીતે કહી શકાય નહિ. કારણ કે જ્ઞાનરૂપ નમસ્કાર જીવથી અભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy