________________
૪૨૪] નમસ્કારની ઉત્પત્તિના કારણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
ઋજુસૂત્રનયની એવી માન્યતા છે કે જો નમસ્કાર પૂર્વભવમાં ઉત્પન્ન થયો હોય, તો તેને આ ભવનું શરીરરૂપ સમુત્થાન કારણ શું ઉપકાર કરે છે કે જેથી તેને કારણ રૂપે માનો છો ? તે કંઈ જ કરતું નથી. કેમકે ઉત્પન્ન થયેલાને કારણની અપેક્ષા નથી હોતી. હવે જો આ ભવમાં નમસ્કાર ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે, તો તેમાં વાચના અને લબ્ધિ સિવાય બીજું કંઈ કારણ જણાતું નથી. કારણ કે નમસ્કારનો લાભ પરથી થાય, અથવા સ્વયં થાય. જો પરથી થાય, તો ગુરુપદેશરૂપ વાચના જ તેમાં કારણ છે, અને સ્વયં પ્રાપ્ત થાય, તો તદાવરણ ક્ષયોપશમ રૂપ લબ્ધિ સિવાય બીજું કોઈ કારણ તેમાં નથી જે પરથી અથવા સ્વયં ઉત્પન્ન નથી થતું, તે ગઘેડાના શીંગડાની જેમ અવસ્તુરૂપ છે. જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તેમાં વાચના અને લબ્ધિ વિના બીજાં કોઈ કારણ નથી.
આ ભવમાં અથવા પરભવમાં ઉત્પન્ન થયેલા નમસ્કારની ઉત્પત્તિનું કારણ (દેહરૂપ) સમુત્થાન છે એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે; કારણ કે જેની ઉત્પાદક ક્રિયા થઈ ગઈ હોય, તે અતીત વસ્તુ કહેવાય. તદનુસાર પૂર્વ ભવમાં થયેલ નમસ્કારરૂપ વસ્તુ પુનઃ આ ભવમાં ઉત્પન્ન થતી નથી. જેમ ઉત્પન્ન થયેલા ઘડાની ક્રિયાનો ઉપરમ થવાથી પુનઃ ઘડો ઉત્પન્ન નથી થતો, તેવી રીતે પૂર્વભવમાં ઉત્પન્ન થયેલા નમસ્કારની ઉત્પાદક ક્રિયાનો ઉપરમ થવાથી પુનઃ આ ભવમાં તે ઉત્પન્ન નથી થતો. કરાયેલ વસ્તુ પણ પુનઃ કરાતી હોય. તો પુનઃ પુનઃ નિરંતર કરવી જોઈએ, પણ તેમ કરવાથી કરણક્રિયાની સમાપ્તિ ક્યાં થશે ? કેવળ અનવસ્થા જ થશે.
અથવા ભલે કદાચ પૂર્વજન્મમાં નમસ્કાર ઉત્પન્ન થયો હોય, તોપણ તે ઉત્પાદ વાચના અને લબ્ધિ સિવાય સમુત્થાનરૂપ કારણથી નથી થયો. કારણ કે પૂર્વ ભવમાં જે નમસ્કારનો લાભ થયેલ છે, તે સ્વયં થયેલ છે, કે પરથી થયેલ છે? જો સ્વયં થયેલ હોય, તો તેમાં લબ્ધિ જ કારણ છે, અને પરથી થયેલ હોય, તો તેમાં વાચના હેતુભૂત છે. એ બે સિવાય ત્રીજું સમુત્થાનરૂપ કારણ એમાં ક્યાંય જણાતું નથી. માટે વાચના અને લબ્ધિ એ બે જ નમસ્કારના કારણ છે. એમ ઋજુસૂત્ર નયનો અભિપ્રાય છે. ૨૮૨૭ થી ૨૮૩૪.
હવે “જેસન સ્નેક્ટિમિત્તિ” ૨૮૦૭ એ પદની વ્યાખ્યા કરતા આચાર્ય શ્રી શબ્દાદિ ત્રણ નયોના અભિપ્રાયે નમસ્કારની ઉત્પત્તિનું કારણ કહે છે :
सद्दाइमयं न लहइ जं गुरुकम्मा पवायणाः वि । पाग्इ य तयावरणक्खओवसमओ जओऽवरसं ॥२८३५॥ तो हेऊ लद्धि च्चिय न वायणा जद मइक्खओवसमो । તારો ત્તિ તન્મ વિ નનુ સાડી" " 1 |ર૮રૂદ્દા जस्स वि स तन्निमित्तो तस्स वि तम्मत्तकारणं होज्जा । જ નમોવારરસ ત મ્મન્નુરૂપોવસતમરસ ર૮રૂછો अह कारणोवगारि त्ति कारणं तेण कारणं सव्वं । પIFUL વાવ છે નિયમો સત્તષ્મિ? ર૮રૂટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org