SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦) શાનાદિની અનિત્ય સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એમ નહિ, પરંતુ બીજાને પ્રતીતિ કરાવવા માટે શબ્દપ્રયોગ કરે છે. એ ઉપરથી એવો ન્યાય સિદ્ધ થાય છે કે જે બીજાને માટે વ્યાપારાય છે, તે તે વ્યાપારકાળની પૂર્વે પણ હોય છે. ઉદાહરણ તરીકે જેમ વૃક્ષ છેદવા માટે વ્યાપાર કરાતો કુહાડો, વૃક્ષ-છેદનની ક્રિયા કાળની પૂર્વે પણ હોય છે, તેમ અહીં પણ સમજવું, માટે શબ્દ સદા અવસ્થિત હોવાથી નિત્ય છે. અથવા મેરૂ સ્વર્ગ વગેરે અર્થો શબ્દના અભિધેયપણે હોવાથી કેવળજ્ઞાનની જેમ શબ્દ નિત્ય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટ-પટાદિ ઈન્દ્રિયગ્રાહ્ય જે અર્થો છે, તેઓમાં સંકેતના વશથી વાચકપણાનો સંબંધ કરાયેલો છે, તેથી શબ્દનું નિત્યપણું સિદ્ધ નહિ થાય, પરંતુ જે મેરૂ વગેરે અતીન્દ્રિય અર્થો છે, તેઓનો અતીન્દ્રિયપણાને લીધે સંકેત નહિ કરી શકાય, તેઓમાં તો અનાદિ કાળથી સંસિદ્ધ શબ્દનો વાચ્ય-વાચકપણાનો સંબંધ અકૃતક છે. આથી અતીન્દ્રિય અર્થોની સાથે અકૃતકાણાવટે અનાદિકાળથી સિદ્ધ એવા વાચ્ય-વાચકભાવરૂપ શબ્દના નિત્ય સંબંધથી શબ્દનું નિત્યપણું સિદ્ધ થાય છે, પણ સ્વયં અનિત્ય એવા શબ્દનો અનાદિસિદ્ધ નિત્ય, મેરૂ આદિ અર્થોની સાથે વાચ્ય-વાચક ભાવનો સંબંધ સિદ્ધ નથી થતો. જો એ પ્રમાણે હોય, તો ઘટાદિ અર્થના વાચક શબ્દોનું નિત્યપણું કેવી રીતે સિદ્ધ થશે? એમ પૂછવામાં આવે, તો તેના ઉત્તરમાં કહેવાનું કે – મેરૂ આદિ અર્થના વાચક શબ્દોનું નિત્યપણું સિદ્ધ થવાથી ઘટાદિ વાચક શબ્દોનું પણ નિત્યપણું સિદ્ધ થાય છે. જેમકે ઘટાદિ અર્થવાચક શબ્દો, મેરૂ આદિ અર્થવાચક શબ્દોની જેમ નિત્ય છે, કેમકે તેમાં પણ શબ્દપણું છે. અથવા બધાએ ઘટાદિ વાચક શબ્દો અનાદિકાળથી તદ્દાચકપણે સિદ્ધ હોવાથી નિત્ય છે. જે અનાદિકાળથી સિદ્ધ છે, તે ચન્દ્ર-સૂર્ય-વિમાન-આદિની જેમ નિત્ય હોય છે, ઘટાદિ વાચક શબ્દો અનાદિકાળથી સિદ્ધ છે, તેથી તે નિત્ય છે. આ ઘટાદિ વાચક શબ્દો સાંકેતિક હોવાથી અનાદિકાળથી સિદ્ધ નથી, એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ સંકેત કરી શકાતો જ નથી. જે શબ્દ વડે સંકેત કરાય તેમાં બીજા સંકેતકારક શબ્દની અપેક્ષા રાખવી પડે, તેમાં ત્રીજા શબ્દની; પુનઃ તેમાં ચોથા શબ્દની અપેક્ષા રાખવી પડે, એમ વારંવાર અન્યની અપેક્ષાથી અનવસ્થા પ્રાપ્ત થાય, તેથી સંકેત કરી શકાય નહિ. કદાચ એમ કહેવામાં આવે કે છેલ્લે ગમે તે કોઈ એક અકૃત સંકેતવાળો શબ્દ માની લઈશું, તો પૂર્વના પણ બધા શબ્દો અન્ય શબ્દની જેમ શબ્દપણાથી અકૃત સંકેતવાળા જ છે. માટે ઘટાદિવાચક શબ્દો પણ અસાંકેતિક હોવાથી અનાદિકાળથી સિદ્ધ છે. એ ઉપરોક્ત ન્યાયે ઘટાદિ પદાર્થો સાથે શબ્દનો વાચ્ય-વાચકભાવ સંબંધ નિત્ય છે, જો શબ્દ અનિત્ય હોય, તો વાચ્ય-વાચક ભાવનો સંબંધ નિત્ય ઘટી શકે નહિ. આ પ્રમાણે જ્ઞાનાદિનું નિત્યપણું સિદ્ધ થવાથી જ્ઞાનાત્મક નમસ્કાર પણ આદ્ય નૈગમનયના અભિપ્રાયે અનુત્પન્ન-નિત્ય છે, એથી સિદ્ધ થયું. ૨૮૧૬ થી ૨૮૧૮. હવે બીજા નયો એ જ ઉપરોક્ત હેતુથી જ્ઞાનાદિનું અનિત્યપણું કહે છે : जेणं चिय जीवाओऽणन्नं तेणेय नाणमुप्पाइं । उप्पज्जइ जं जीवो बहुहा देवाइभावेण ॥२८१९॥ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy